SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬ ૨૮૫ થતી નથી. આક્રિયા કર્યા વિના ગ્રહણ કરવાની સમાપ્તિ થતી નથી. અને આ રીતે પુદ્ગલોના ગ્રહણ અને અન્ય સંયોગનો અભાવ થવાથી તેના નિમિત્ત બનનારા શરીરનો પણ આ આત્માને અભાવ જ થાય છે. અને શરીરરચના ન થવાથી તે શરીરની સાથેના સંબંધનો અભાવ થવાથી વિના પ્રયત્ન જ સર્વકાળે સર્વે જીવોનો મોક્ષ થઈ જશે. આ દોષ ન આવે માટે આત્માને સર્વવ્યાપી માનવો એ જ ઉચિત છે. સર્વવ્યાપી માનીએ તો પ્રથમ સર્વ પરમાણુઓને સ્પર્શી લે. ત્યારબાદ શરીરની રચનાને જે જે સાનુકૂળ પરમાણુઓ લાગે તેને જ ગ્રહણ કરવાની આદ્યક્રિયા કરે. अस्तु वा यथाकथञ्चिच्छरीरोत्पत्तिः, तथापि सावयवं शरीरं, प्रत्ययवमनुप्रविशन्नात्मा सावयवः स्यात्, तथा चास्य पटादिवत् कार्यत्वप्रसङ्गः । कार्यत्वे चासौ विजातीयैः सजातीयैर्वा कारणैरारभ्येत । न प्राच्यः प्रकारः, विजातीयानामनारम्भकत्वात् , न द्वितीयः, यतः सजातीयत्वं तेषामात्मत्वाभिसम्बन्धादेव स्यात् , तथा चात्मभिरारभ्यते (आत्मा) इत्यायातम् , एतच्चायुक्तम् , एकत्र शरीरेऽनेकात्मनामात्मारम्भकाणामसम्भवात् , सम्भवे वा प्रतिसन्धानानुपपत्तिः, न ह्यन्येन दृष्टमन्यः प्रतिसन्धातुमर्हति, अतिप्रसङ्गात् , तदारभ्यत्वे चास्य घटवदवयवक्रियातो संयोगविनाशाद् વિનાશ: થાત્ નૈયાયિક— ઉપરોક્ત યુક્તિઓ પ્રમાણે આત્મા સર્વવ્યાપી જ છે. શરીરવ્યાપી નથી. જો શરીરવ્યાપી માનીએ તો સર્વ પરમાણુઓ સાથે એક જ કાલે સંયોગ ન થવાથી શરીરરચના જ થઈ શકતી નથી. અને તેથી સર્વે જીવોને કેવળ એકલો મોક્ષ જ થઈ જાય છે. આ વાત ઉચિત નથી. છતાં માનો કે યેન કેન પ્રકારેણ (એટલે કે આત્માને દેહવ્યાપી માનવામાં શરીરરચના યુક્તિથી તો ઘટતી નથી. છતાં પણ) ધારો કે શરીરની રચના આ જીવ કરે છે. તો પણ શરીર અવયવો વાળું છે. અને એક એક અવયવમાં આત્મા (શરીરવ્યાપી હોવાથી) પ્રવેશ કરનાર બનશે. તેથી જેમ શરીર સાવયવ છે. તેમ આત્મા પણ સાવયવ જ છે. એમ સિદ્ધ થશે. અને તેમ થવાથી જેમ તનું સ્વરૂપ અવયવો વડે પટ બને છે. કપાલ સ્વરૂપ અવયવો વડે ઘટ બને છે. તેમ આત્મા પણ (પોતાના અવયવો વડે) બનાવાય છે એવો અર્થ થવાથી આત્મા પણ કાર્યસ્વરૂપ થશે. અનિત્ય થશે. અને તેના કારણો વડે ઉત્પન્ન કરાય છે. એવો અર્થ થશે. સાવયવ એવા ઘટ-પટની જેમ સાવયવ એવો આત્મા પણ પોતાના અવયવો વડે કરાય છે. એવો અર્થ થશે. હવે જો આત્મા “કાર્ય” સ્વરૂપ છે. ઉત્પત્તિવાળો છે. એમ માનીએ તો આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy