SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ ૨૫૧ ग्रहोऽपि विरंस्यति, -"अहमेव न, किं मम" ? इति, तदिदमहङ्कारममकारग्रन्थिप्रहाणेन नैरात्म्यदर्शनमेव निर्वाणद्वारम्, अन्यथा कौतस्कुती निर्वाणवार्ताऽपि । । બૌદ્ધ- હે જૈન ! તમે ઉપર જે અકતાભાગમ અને કતપ્રણાશ દોષો અમને (બૌદ્ધને) ક્ષણિકવાદ માનવામાં આવશે એવું કહ્યું, પરંતુ તે દોષો અમને આવતા નથી. કારણકે ગમે તે કોઈ અન્ય વ્યક્તિએ કરેલું કર્મ હોય અને ગમે તે કોઈ અન્ય વ્યક્તિને ભોગવવાનું આવે તો આ દોષ આવે. પરંતુ અમે એમ કહેતા નથી. “કાર્યકારણભાવ” એનો નિયામક છે. જ્ઞાનક્ષણોની અંદર રહેલો આ હેતુ-ફલભાવ (કાર્યકારણભાવ)નો પ્રવાહ અનાદિકાળની પરંપરાથી પ્રવર્તેલો છે. અને તેને જ “સંતાન” કહેવાય છે. આ સંતાનવડે જ સર્વે વ્યવહારો સંભવે છે. જે પ્રથમ-જ્ઞાનક્ષણે ચૈત્યવન્દનાદિ કાર્ય કર્યું તેના સ્થાને તેના કાર્યરૂપે જે ઉત્તર-જ્ઞાનક્ષણ આવે તેને જ તેના ફળનો અનુભવ કરવાનો રહે. પરંતુ સત્તાના તરવત અન્ય-જ્ઞાનક્ષણોને તેના ફળનો અનુભવ ન કરવો પડે. એટલે અનિત્ય (સર્વથા ક્ષણિક) આત્માને માનીએ તો પણ કાર્ય-કારણ ભાવરૂપ સત્તાન નિયામક (વ્યવસ્થા કરનાર) હોવાથી અકૃતાભ્યાગમ કે કૃતનાશ આદિ દોષો આવતા નથી. અમારો મત સર્વથા નિર્દોષ છે. અન્યથા=જો એમ નહી માનો અને આત્મા નિત્ય છે એમ માનશો તો સુખ-દુઃખ આદિના જન્મ દ્વારા જો આ આત્મા વિકારને અનુભવે તો આ આત્મા અનિત્ય જ થયો. ચામડાની જેમ, જેમ ચામડું વરસાદ અને આતપ વડે સંકોચ અને વિસ્તાર પામતું હોવાથી અનિત્ય છે તેમ આત્મા પણ સુખદુઃખાદિ થવા છતાં નિર્વિકારી જ રહે છે એમ માનશો તો સુખ-દુઃખાદિ સ્વરૂપ પૂર્વબદ્ધ કર્મોનાં ફળ પ્રાપ્ત થવા વડે કે ન પ્રાપ્ત થવા વડે તે આત્માને શું લાભ ? પુણ્યોદય થાય તો પણ સુખનો અનુભવ થવાનો નથી અને પાપોદય થાય તો પણ દુઃખનો અનુભવ થવાનો નથી. તેથી કર્મોનો ઉદય નિષ્ફળ જ થશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે “વરસાદ થાય કે આતપ થાય, તેનાથી આકાશમાં શું વિશેષતા ? ચામડામાં તે બન્ને દ્વારા ફળપ્રાપ્તિ થાય છે. (આકાશ નિત્ય હોવાથી તેમાં પરિવર્તન થતું નથી. અને ચામડું અનિત્ય હોવાથી તેમાં પરિવર્તન થાય છે.) હવે આત્મા જો ચર્મના જેવો માનશો (પરિવર્તન પામે છે એમ માનશો) તો તે અનિત્ય થશે. અને આકાશતુલ્ય માનશો તો (પરિવર્તન પામતો નથી. એમ માનશો) તો કર્મ નિષ્ફળ જ થશે. (મલ્લિમના સ્થાને સવન: એવો પાઠ છે.) કર્મોનો ઉદય કંઈ ફળ આપનાર બનશે નહીં. ઉપરોક્ત ચર્ચા પ્રમાણે આત્માને નિત્યદ્રવ્ય માનવામાં કર્મોની નિષ્ફળતા અને અનિત્ય માનીએ તો અકૃતાભ્યાગમ અને કૃતપ્રણાશ આદિ દોષો લાગે છે. માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy