SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ ૨૪૯ (સજાતીય સંતાન દ્વારા ન હોવાથી) ઉપાદાનકારણ વિના જ તમારા મતે થશે. કારણકે તે ધૂમ અને શબ્દાદિને અનાદિકાળના સંબંધવાળું સમાન-જાતીય કોઈ દ્રવ્ય કારણ છે. એવું કહેવું શક્ય નથી. આ પ્રમાણે પૂર્વેક્ષણના કાળમાં જો કોઈ ઉપાદાન કારણ ન હોય અને એમને એમ ઉપાદાનકારણ વિના જ ધૂમ અને શબ્દાદિની ઉત્પત્તિ થાય છે. આમ જો કહેશો તો તથા ર જ્ઞાનપિ તેવી જ રીતે ચૈતન્યની ઉત્પત્તિ પણ ઉપાદાનકારણ (એવા આત્મ-તત્ત્વ) વિના જ ગર્ભાદિ-કાલે થશે. અને જો તમે “હા એમ જ છે” એમ કહો તો પરભવનો સર્વથા અભાવ જ થશે. અને જો પરભવ જ ન હોય તો તમારા જ શાસ્ત્રોમાં આ પ્રમાણે જે કહ્યું છે કે, પૂર્વે એકાણુમાં ભવે જે હિંસા કરેલી તેના પાપે હું પગમાં કાંટાથી વિંધાયો. તે વાક્યનું શું કરશો ? તથા જો પરલોક ન હોય તો મોક્ષ પણ ઘટશે નહીં. તથા મોક્ષ માટેની સાધના પણ ઘટશે નહીં તેથી તમને ઘણા દોષો આવશે. ઉપર કહેલા દોષમાંથી બચવા માટે બૌદ્ધ કહે છે કે હે જૈન ! અમે ધૂમાદિમાં અને મેઘ-ગર્જરવાદિ શબ્દમાં સમાન-જાતીય ઉપાદાનકારણ નથી. પરંતુ વિજાતીય એવું (અનુક્રમે અગ્નિ અને વાદળ) ઉપાદાનકારણ છે એમ માનીશું. એટલે કે ઉપાદાનકારણ વિના ધૂમ અને મેઘ-ગર્જરવરૂપ શબ્દાત્મક કાર્ય થાય છે. એમ અમારું કહેવું નથી, પરંતુ ઉપાદાનથી જ થાય છે આમ કહેવું છે. છતાં તે ઉપાદાનકારણ સજાતીય જ હોવું જોઇએ એવો નિયમ નહીં. વિજાતીય ઉપાદાનથી પણ કાર્યોત્પત્તિ થાય એમ અમે માનીશું. ઘટ-પટાદિમાં સજાતીય તથા ધૂમ અને શબ્દાદિમાં વિજાતીય ઉપાદાનકારણ અમે માનીશું જેથી અમને (બૌદ્ધોને) કોઈ દોષ આવશે નહીં. જૈન- પર્વ તર્દિ જો એમ (વિજાતીય ઉપાદાનથી પણ કાર્ય થાય છે એમ) માનશો તો ગર્ભમાં થનારા ચૈતન્યનું પણ ઉપાદાનકારણ ગર્ભમાં બનેલા પૌગલિક શરીરને જ (વિજાતીય હોવા છતાં પણ) ઉપાદાનકારણ માની લો ને ! શા માટે ઉત્તર-ક્ષણવર્તી ચૈતન્યનું ઉપાદાનકારણ પૂર્વક્ષણવર્તી ચૈતન્ય એટલે જન્માત્તરવર્તી અર્થાત્ પૂર્વભવવર્તી ચૈતન્યને જ ઉપાદાનકારણ કલ્પો છો. જો વિજાતીય ઉપાદાનથી પણ કાર્યોત્પત્તિ થતી હોય તો ગર્ભમાં જ બનેલા પાંચ ભૂતોના આ શરીરથી જ ચૈતન્ય થાય છે. એમ જ માની લેવું જોઇએ ! તમારે તો યથાત દિ ૩પતાનમિષ્ટF=જ્યાં જે જેમ દેખાય ત્યાં તેને તે રીતે ઉપાદાનકારણ કહેવાનું છે. પછી આટલી ચિંતા કરવાની શી જરૂર ! સજાતીય પણ ઉપાદાનકારણ હોય અને વિજાતીય પણ ઉપાદાનકારણ હોય એમ જ માની લો ને ! અન્યથા જો આમ નહી માનો અને સજાતીય ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy