SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ તોડત્વાન્ એવા અમારા હેતુમાં તેના વડે કોઈ દોષ આપી શકાતો નથી. વળી કપાસમાં જે રક્તતા ઘટે છે. તે પણ કથંચિત્ અન્યત્વ અને કથંચિ અનન્યત્વ છે. તો જ ઘટે છે. સર્વથા અન્યત્વ નથી. કારણકે બીજ પોતે જ ફણગા ફૂટવા દ્વારા અંકુરારૂપ બન્યું છતું કપાસ રૂપ બને છે. તેથી ત્યાં તતોડવેવ વાસ્તવિકપણે છે જ નહીં, માટે બૌદ્ધની આ દલીલ તેના પોતાના પક્ષની સિદ્ધિ કરનારી પણ નથી અને અમારા (જૈનોના) પક્ષને દૂષિત કરનારી પણ નથી. किञ्च, यद्यन्यत्वेऽपि कार्यकारणभावेन स्मृतेरुत्पत्तिरिष्यते, तदा शिष्याचार्यादिबुद्धीनामपि कार्यकारणभावसद्भावेन स्मृत्यादिः स्यात् । अथ नायं प्रसङ्गः, “एकसन्तानत्वे सति" इति विशेषणादिति चेत्-तदयुक्तम्, भेदाभेदपक्षाभ्यां तस्योपक्षीणत्वात् । क्षणपरम्परातस्तस्याभेदे हि क्षणपरम्परैव सा, तथा च सन्तान इति न किञ्चिदतिरिक्तमुक्तम् । भेदे तु अपारमार्थिकः पारमार्थिको वा असौ स्यात् ?। अपारमार्थिकत्वे त्वस्य तदेव दूषणम् । पारमार्थिकत्वे स्थिरो वा स्यात्, क्षणिको वा?। क्षणिकत्वे सन्तानिनिर्विशेष एवायमिति किमनेन स्तेनभीतस्य स्तेनान्तरशरणस्वीकरणकारिणा ॥ स्थिरमथ सन्तानमभ्युपेयाः प्रथयन्तं परमार्थसत्स्वरूपम् । अमृत पिब पूतयाऽनयोक्त्या स्थिरवपुषः परलोकिनः प्रसिद्धेः ॥१॥ વળી હે બૌદ્ધ ! જો એકાતભિશત્વ હોવા છતાં પણ જ્યાં જ્યાં કાર્યકારણભાવમાત્ર હોય ત્યાં ત્યાં સ્મૃતિની ઉત્પત્તિ થતી હોય તો શિષ્ય અને આચાર્ય વગેરેની બુદ્ધિઓમાં પણ કાર્ય-કારણભાવ હોવાના કારણે સ્મૃતિ આદિ થવાં જોઇએ. ત્યાં પણ કાર્ય-કારણભાવ તો છે જ. માટે હે બૌદ્ધ ! તમારી આ વાત સાચી નથી કે જ્યાં જ્યાં કાર્ય-કારણ ભાવ હોય ત્યાં ત્યાં સ્મૃતિ હોય. બૌદ્ધ- હે જૈન ! તમારા વડે અપાયેલો આ દોષનો પ્રસંગ અમને (બૌદ્ધોને) આવતો નથી. કારણકે અમે હેતુમાં “સત્તાનત્વે સતિ' એવું પદ ઉમેરીએ છીએ. ગુરુ અને શિષ્યમાં ભિન્ન સંતાન છે. એકસત્તાનતા નથી. માટે અમને કોઈ દોષ આવતો નથી. અમારું કહેવું એમ છે કે જ્યાં એકસંતાનતા હોતે છતે કાર્ય-કારણભાવ હોય ત્યાં સ્મૃતિ થાય. સન્તીનત્વે સતિ કાર્યકારભાવો યત્ર, તત્ર તત્ર મ્યુતિઃ | જૈન- હે બૌદ્ધ ! તમારી આ વાત પણ સાચી નથી. ભેદભેદ નામના બે પક્ષો દ્વારા અમારા વડે તી તે સંતાન નામના તત્ત્વનું ખંડન કરાતું હોવાથી. તે આ પ્રમાણે–તમોએ સમયે સમયે જે ક્ષણિક બુદ્ધિતત્ત્વ માન્યું છે. તે ક્ષણપરંપરા છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy