SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ ભિન્ન-ભિન્ન સંતાનાન્તરવર્તી બુદ્ધિક્ષણોમાં “અન્યત્વ” એટલે કે જેવું એકાન્ત ભિન્નત્વ છે. તેવું જ નાનાચ-એકાન્ત ભિન્નત્વ ચૈત્ર નામની વ્યક્તિમાં સમયે સમયે ઉત્પન્ન થતી ભિન્ન-ભિન્ન બુદ્ધિક્ષણોમાં પણ તવસ્થાના[eતેવું ને તેવું જ છે. અન્યત્વ (અર્થાત્ એકાત ભિન્નત્વ) જેમ ચૈત્ર-મૈત્રની બુદ્ધિક્ષણોમાં છે તેવું જ અન્યત્વે (એકાત ભિશત્વ) ચિત્રગત ક્રમશઃ થનારી બુદ્ધિક્ષણોમાં પણ છે. અને અન્યત્વ (એકાત ભિન્નત્વ) એ જ સ્મૃતિના અસંભવમાં કારણ તમે કહેલું છે. અર્થાત જ્યાં જ્યાં અન્યત્વ હોય ત્યાં ત્યાં સ્મૃતિનો અસંભવ હોય તેવું તમે કહ્યું છે. તેથી તે અન્યત્વ ચૈત્ર અને મૈત્રમાં (સંતાનાન્તરમાં) જેવું રહેલું છે. તેવું જ ચૈત્રગત બુદ્ધિ-ક્ષણોમાં (વિવક્ષિત સંતાનમાં) પણ રહેલું જ છે. કાર્ય-કારણ ભાવ કહેવા છતાં પણ તે અન્યત્વ કંઈ ચાલ્યું ગયું નથી. અન્યત્વ સંતાનાન્તરમાં અને વિવક્ષિત સંતાનમાં પણ એક સરખું સમાન છે. તેથી કાર્ય-કારણભાવ કહેવા છતાં પણ તોડત્વ હેતુ સરખો જ હોવાથી સ્મૃતિના અસંભવરૂપ સાધ્યની સિદ્ધિ થાય જ છે. તે અનુમાન આ પ્રમાણે છે. “પૂર્વવૃદ્ધાનુભૂગર્ભે નોત્તરવુદ્ધીનાં મૃત્તિ સમવતિ' “તતોડત્વી" સત્તાનાન્તરવુદ્ધિવત્ આ અનુમાનમાં કહેલા (તતો ન્યત્વ નામના) તસ્ય તે હેતુને અસિદ્ધત્વ વગેરે (અસિદ્ધતા, વિરુદ્ધતા કે અનૈકાતિક્તા) હેત્વાભાસના કોઈપણ દોષો લાગતા નથી. “તતોડત્વ" હેતુ હેત્વાભાસના બધા જ દોષોથી રહિત હોવાથી તેવો ને તેવો જ (નિર્દોષ) છે. તેથી કાર્ય-કારણ માનવા છતાં પણ સ્વપક્ષની સિદ્ધિ (તમારા બૌદ્ધપક્ષની સિદ્ધિ) નાપિ અને ક્રિયતે આ કાર્ય-કારણ ભાવથી સિદ્ધ કરી શકાતી નથી. કારણકે એકાન્તભિન્નત્વ હોતે છતે કાર્ય-કારણભાવ માત્ર હોવાથી સ્મૃતિ સંભવી શકે એવું ઉભય માન્ય (વાદી અને પ્રતિવાદી એમ બન્નેને માન્ય) કોઈ ઉદાહરણ નથી. ઉલટું તેનાથી વિરુદ્ધ ઉદાહરણ છે. એકાન્તભિન્નત્વ હોય ત્યાં કાર્યકારણભાવ હોવા છતાં સ્મૃતિ ન થાય એવું ઉદાહરણ છે. જેમ ગુરુ- શિષ્ય, ગુરુ દ્વારા શિષ્યને ભણાવવામાં આવે છે. ત્યાં કાર્ય-કારણભાવ હોવા છતાં પણ અત્યન્ત ભિન્નત્વ હોવાથી ગુરુમાં જે અનુભવ છે તેની સ્મૃતિ શિષ્યને થતી નથી. अथ-"यस्मिन्नेव हि सन्ताने आहिता कर्मवासना । નં તસૈવ સંધજો પણે વતતા યથા " इति कर्पासरक्ततादृष्टान्तोऽस्तीति चेत् । तदसाधीयः, साधनदूषणासम्भवात् । अन्वयाद्यसम्भवान्न साधनम्, न हि कार्यकारणभावो यत्र तत्र स्मृतिः, कर्पासे रक्ततावदित्यन्वयः सम्भवति, नापि यत्र न स्मृतिस्तत्र न कार्यकारणभाव इति व्यतिरेकोऽस्ति । असिद्धत्वाद्यनुद्भावनाच्च न Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy