SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ છે. કારણકે શરીરાદિથી વિલક્ષણ એવા આશ્રયને સાધ્ય બનાવીએ, તો વિલક્ષણ નહી એવા શરીરાદિ જ વિપક્ષ થાય. તે આ પ્રમાણે– તન્વાદિ (શરીરાદિ)થી વિલક્ષણ એવો જે આશ્રય (આત્મા) તેમાં રહેનારું એવું અહીં સાધ્ય છે. તેથી “તત્ત્વાદિ (શરીરાદિ) લક્ષણ (રૂપ) જે આશ્રય છે તેમાં રહેનારું” એ જ વિપક્ષ થશે. તેથી શરીરાદિ રૂપે જે આશ્રય છે તેમાં રહેનારા એવા રૂપાદિ (શરીરાદિમાં રહેલા રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ)થી બાધકોડપત્તિ નામના વિશેષણથી યુક્ત એવું કાર્યત્વ અત્યન્ત વ્યાવૃત્ત છે કારણકે શરીરાદિમાં રહેલા રૂપાદિ ધર્મોમાં કાર્યત્વ માનવામાં કોઈ જ બાધા આવતી નથી. નિબંધકપણે કાર્યત્વ તેમાં વર્તે છે. નિબંધકપણે કાર્યત્વ હોવાથી બાધક્તા (રૂપ વિશેષણ) યુક્ત એવું કાર્યત્વ તે રૂપાદિ ધર્મોથી અત્યન્ત વ્યાવૃત્ત છે. અથવા શરીરાદિમાં રહેનારા શરીરત્વ નામના સામાન્યથી પણ કાર્યત્વ હેતુ અત્યન્ત વ્યાવૃત્ત છે. કારણકે શરીરત્વ એ જાતિ હોવાથી નિત્ય છે તેથી તેમાં કાર્યત્વ સંભવતું જ નથી. આ રીતે સાધ્યના અભાવરૂપ બે વિપક્ષો બતાવવામાં આવ્યા છે. શરીરાદિના આશ્રયે રહેનારા રૂપાદિ ધર્મો અને શરીર–સામાન્ય (શરીરત્વ જાતિ). તે બન્ને વિપક્ષોમાંથી સવિશેષણ એવો કાર્યત્વ હેતુ અત્યન્ત વ્યાવૃત્ત છે. રૂપાદિ ધર્માત્મક જે પ્રથમ વિપક્ષ છે. તેમાં કાર્યવાત્મક વિશેષ્ય સંભવી શકે છે. તેથી તેની એકલાની વ્યાવૃત્તિ નથી. પરંતુ નિબંધકપણે કાર્યત્વ હેતુની વૃત્તિ હોવાથી બાજક્તાયુક્ત એવા કાર્યત્વની વ્યાવૃત્તિ છે. અર્થાત્ એકલા વિશેષ્યની વ્યાવૃત્તિ નથી. વિશેષણની એકની જ વ્યાવૃત્તિ છે. તેથી વિશેષણના અભાવના કારણે વિશેષUTTમાવે વિશેષ્યથાણુમાવ: એ ન્યાયથી તેવા પ્રકારના વિશેષણવાળા વિશેષ્યનો અભાવ કલ્પીને કાર્યત્વની વ્યાવૃત્તિ જણાવી છે. જ્યારે શરીરત્વ નામનો જે બીજો વિપક્ષ છે તે નિત્ય છે. અને કાર્યત્વ એ અનિત્ય છે. તેથી તેની વ્યાવૃત્તિ માનવામાં કોઈ બાધક્તા ન હોવાથી બાધકયુક્તતા રૂપ વિશેષણની અને કાર્યત્વ રૂ૫ વિશેષ્યની એમ ઉભયની અત્યન્ત વ્યાવૃત્તિ છે. આ રીતે સવિશેષણ એવા કાર્યત્વ હેતુની રૂપાદિ સ્વરૂપ પ્રથમ વિપક્ષથી અને શરીર–સ્વરૂપ બીજા વિપક્ષથી એમ બન્ને વિપક્ષથી અત્યત વ્યાવૃત્તિ હોવાથી અમારો જૈનોનો હેતુ વ્યભિચારી પણ નથી અને વિરુદ્ધ પણ નથી. આ રીતે અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થાય છે. "उपयोगलक्षणो जीवः" इत्यागमप्रदीपोऽप्यात्मानमुद्द्योतयति । अनुमानागमयोश्च प्रामाण्यं प्रागेव प्रसाधितमित्यात्मसिद्धिः ॥ ઉપયોગ લક્ષણવાળો જીવ છે. ૩૫યો નક્ષમ્ (તત્ત્વાર્થસૂત્ર ૨-૮) ઇત્યાદિ આગમ પ્રમાણ રૂપ દીપક પણ આત્માના અસ્તિત્વને જ ઉદ્ઘોષિત કરે છે. જો કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy