SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ शब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात् पटवदित्यादिः ॥ ७-४३ ॥ સૂત્રાર્થ-ક્રિયા રહિત એવી તે વસ્તુ તેવા તેવા શબ્દો વડે વાચ્ય નથી. એવું સ્વીકારનારો જે આશય વિશેષ તે એવંભૂત નયાભાસ કહેવાય છે. ઉદાહરણ આપે છે કે જલાહરણાદિ વિશિષ્ટ એવી ક્રિયાથી શૂન્ય એવી ઘટનામની વસ્તુને “આ ઘટ છે” એમ ઘટ શબ્દનો પ્રયોગ કરવો એ ઉચિત નથી. કારણકે ઘટ શબ્દનો પ્રયોગ કરવામાં હેતુભૂત એવી જલાહરણાદિ જે અર્થ ક્રિયા છે. તેનાથી તે શૂન્ય છે માટે, પટની જેમ. ઇત્યાદિ. || -૪૨-૪૩॥ ૧૯૪ પરિચ્છેદ-૭ : સૂત્ર-૪૩ टीका- क्रियाऽऽविष्टं वस्तु ध्वनीनामभिधेयतया प्रतिजानानोऽपि यः परामर्शस्तदनाविष्टं तत्तेषां तथा प्रतिक्षिपति न तूपेक्षते स एवम्भूतनयाभासः પ્રતીતિવિષાતાત્ ।૫૭-૪૨॥ अनेन हि वचसा क्रियाऽनाविष्टस्य घटादेर्वस्तुनो घटादिशब्दवाच्यतानिषेधः क्रियते स च प्रमाणबाधित इति तद्वचनमेवंभूतनयाभासोदाहरणતોત્તમ્ ॥9-૪રૂ। વિવેચન– આવિષ્ટ એટલે યુક્ત, સહિત, અને નાવિષ્ટ એટલે રહિત, વિના. ક્રિયાનાવિષ્ટ એટલે ક્રિયા રહિત. જે જે વસ્તુઓનાં જે જે નામો હોય તે તે વસ્તુઓ જો તે તે નામોથી વાચ્ય (અભિધેય) છે. એમ જાણવા છતાં પણ જે આશયવિશેષ (વિચારધારા) તે તે ક્રિયાથી રહિત એવું તત્ તે તે નામ તેમાં તે તે પદાર્થોનું છે. તથા તેવી વાતનો પ્રતિક્ષેપ=નિષેધ કરે એટલે કે તિરસ્કાર કરે અર્થાત્ અપલાપ જ કરે. પરંતુ ઉપેક્ષા (ગૌણતા) ન કરે તે એવંભૂત નયાભાસનું ઉદાહરણ જાણવું. જ્યારે વક્તાના મનની વિચારધારા એવી એકાન્તવાદ તરફ ઢળેલી હોય કે જે જે વસ્તુઓ જે જે નામોથી બોલાવાતી હોય તે તે નામોનો વ્યુત્પત્તિસિદ્ધ જે જે અર્થ થતો હોય તેવા તેવા અર્થવાળી ક્રિયા જ્યારે તે તે પદાર્થોમાં વર્તતી હોય ત્યારે જ તે તે શબ્દોથી તે તે વસ્તુને બોલાવી શકાય. અર્થાત્ જ્યારે તેવો ક્રિયાકાળ હોય ત્યારે તે તે પદાર્થો તે તે શબ્દવડે વાચ્ય બને, જ્યારે ક્રિયાકાળ ન હોય ત્યારે તે પદાર્થ તે શબ્દથી વાચ્ય બનતો નથી. જેમકે ઘટ શબ્દનો અર્થ પતિ ચેષ્ટતિ-જે જલાહરણાદિ ચેષ્ટાવાળો હોય તે ઘટ કહેવાય છે. ઘટ શબ્દનો આવો અર્થ હોવાથી જ્યારે જલાહારણાદિ ક્રિયા થતી હોય ત્યારે જ ઘડાને ઘટ કહેવાય. અન્યથા એટલે કે જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy