SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૨૦ થી ૨૨ ૧૭૭ - अयं हि द्रव्यत्वस्यैव तात्त्विकतां प्रख्यापयति, तद्विशेषभूतानि तु धर्मादिद्रव्याण्यपह्नत इत्यपरसंग्रहाभासनिदर्शनम्, सर्वत्र संग्रहाभासत्वे कारणं प्रमाणविरोध एव, सामान्यविशेषात्मनो वस्तुनस्तेन प्रतीतेरभिहितत्वात् ॥७-२२॥ વિવેચન– દ્રવ્યત્વ છે આદિમાં જેઓને તે વ્યત્યાદ્રિ આ પ્રમાણે બહુવ્રીહિ સમાસ થવાથી પર્યાયત્વ વગેરે પણ સમજી લેવા. “સત્તા” નામનું જે સામાન્ય છે તે સર્વ દ્રવ્ય, સર્વ ગુણ અને સર્વ પર્યાયમાં વિદ્યમાન હોવાથી મહાસામાન્ય છે. તેની અપેક્ષાએ દ્રવ્યત્વ એ માત્ર પર્ દ્રવ્ય વૃત્તિ જ છે. અને પર્યાયત્વ એ પર્યાય માત્રવૃત્તિ છે. તેથી દ્રવ્યત્વ અને પર્યાયત્વ, કેટલીક વ્યક્તિઓમાં (કેટલાક-પ્રતિનિયત પદાર્થોમાં) જ રહેનાર છે. અને સત્તા સર્વે સત્પદાર્થોમાં રહેનાર છે. તેથી સત્તા નામના મહાસામાન્યની અપેક્ષાએ અવાન્તર સામાન્ય સ્વરૂપ છે. તેની જ પ્રધાનતા કરનારો અને તેના ઉત્તરભેદ સ્વરૂપ જે જે વિશેષો છે. તેમાં ગજનિમીલિકાનો (ઉપેક્ષા કરવાનો) આશ્રય લેનારો જે અભિપ્રાયવિશેષ તે અપર સંગ્રહ નય જાણવો. સારાંશ કે - તે “સત્તા” નામના મહાસામાન્ય કરતાં જે અવાન્સરસામાન્ય સ્વરૂપ છે. તથા “સત્તા” જેટલામાં રહે છે તેના કરતાં અલ્પવ્યક્તિમાં (ન્યૂનપદાર્થોમાં) જે રહે છે. એવા દ્રવ્યત્વ-પર્યાયત્વ વગેરે ધર્મોને ગ્રહણ કરનારો અને તે દ્રવ્યત્વ, પર્યાયત્વે આદિ ધર્મોના આધારભૂત એવા દ્રવ્ય-પર્યાયના પેટાવિશેષ ધર્મ-અધર્મ-આકાશ, તથા સ્થાસ કોશ-કુશૂલ ઘટ આદિમાં ગજનિમીલિકા (ઉપેક્ષા) કરનારો જે આશયવિશેષ તે અપરસંગ્રહનય છે. મહાસામાન્ય કરતાં લઘુસામાન્યને જે પ્રધાન કરે અને તેના પેટા વિભાગ સ્વરૂપ વિશેષોમાં જે ઉદાસીનતા રાખે તે અપરસંગ્રહનય છે. જેમકે ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ આ છએ દ્રવ્યો એકરૂપ જ છે. કારણકે આ છએ દ્રવ્યોમાં “દ્રવ્યપણે” અભેદ જ છે. આ છએ દ્રવ્યોમાં “આ પણ દ્રવ્ય છે. આ પણ દ્રવ્ય છે” એવુ એક સરખું ભેદભાવ વિનાનું “જ્ઞાન પણ થાય છે. અને ઉચ્ચારણ પણ થાય છે. આ રીતે દ્રવ્ય દ્રવ્યપણે અભિન્ન જ્ઞાન અને અભિધાન થવા સ્વરૂપ લિંગવડે અનુમાન કરાય છે કે આ છએ “દ્રવ્યત્યાત્મકપણે” એક જ છે. આ પ્રમાણે ધર્માદિ છએ દ્રવ્યોની દ્રવ્યત્યાત્મકપણે સમાનતાને ગ્રહણ કરનારો જે અભિપ્રાય વિશેષ (આશય વિશેષ) તે અપરસંગ્રહનય. જેમ આ છએ દ્રવ્યો દ્રવ્યપણે એક છે-તેવી જ રીતે મારિ શબ્દથી ચેતન એ જીવનો પર્યાય છે. અને અચેતન એ ધર્માદિ શેષ પાંચ દ્રવ્યોનો પર્યાય છે. એટલે ચેતન અને અચેતન એમ બન્ને પર્યાયો પરસ્પર વિલક્ષણ હોવાથી ભિન્ન-ભિન્ન છે, તો ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy