SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પરિચ્છેદ-૭ : સૂત્ર-૨ થી ૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ છે. ત્યાં વિસ્તારથી (વ્યાસથી) તે નયોના અનેકભેદો છે. પરંતુ (સમાસ)થી સંક્ષેપથી નયોના બે ભેદ છે. ૧. દ્રવ્યાર્થિકનય અને બીજો પર્યાયાર્થિક નય. I ૦-૩, ૪-પા टीका-स प्रकृतो नय: व्यासो विस्तरः, समासः संक्षेपस्ताभ्यां द्विभेदः व्यासनयः समासनयश्चेति ॥७-३॥ व्यासनयप्रकारान् प्रकाशयन्ति-एकांशगोचरस्य हि प्रतिपत्रभिप्रायविशेषस्य नयस्वरूपत्वमुक्तं, ततश्चानन्तांशात्मके वस्तुन्येकैकांशपर्यवसायिनो यावन्तः प्रतिपत्तृणामभिप्रायास्तावन्तो नयाः, ते च नियतसंख्यया संख्यातुं न शक्यन्त इति व्यासतो नयस्यानेकप्रकारत्वमुक्तम् ॥७-४॥ समासनयं भेदतो दर्शयन्ति “नय" इत्यनुवर्तते, द्रवति द्रोष्यति अदुद्रुवत् तांस्तान् पर्यायानिति द्रव्यं, तदेवार्थः, सोऽस्ति यस्य विषयत्वेन स द्रव्यार्थिकः । पर्येत्युत्पादविनाशौ प्राप्नोति इति पर्यायः, स एवार्थः सोऽस्ति यस्याऽसौ पर्यायार्थिकः । एतावेव च द्रव्यास्तिकपर्यायास्तिकाविति, द्रव्यस्थितपर्यायस्थिताविति, द्रव्यार्थपर्यायार्थाविति च प्रोच्यते ॥ વિવેચનવસ્તુમાં રહેલા અનેક અંશો પૈકી જ્યાં જે ઉપકારક અંશ હોય તેને પ્રધાનપણે ગ્રહણ કરે અને શેષ અંશને ગૌણ કરે તે નય કહેવાય છે. હવે તે નયના ભેદો કેટલા ? તે સૂચવવા માટે જણાવે છે કે નયના ભેદો (પ્રકારો) બે રીતે હોય છે એક વ્યાસથી (વિસ્તારથી) અને બીજા સમાસથી (સંક્ષેપથી), વિસ્તારથી જે ભેદો જણાવાય તે વ્યાસ નય અને સંક્ષેપથી જે નય જણાવાય તે સમાસ ન કહેવાય છે. જે ૭-૩ હવે વ્યાસ નયના પ્રકારો (ભેદો) કેટલા ? તે જણાવે છે કે કોઇપણ વિવક્ષિત વસ્તુના અનંત ધર્મો છે. તેમાંથી જ્યાં જે ઉપકારક ધર્મ (અંશ) હોય તે એક અંશને ગ્રહણ કરનારો પ્રતિપત્તાનો (જ્ઞાતાનો) જે આશય વિશેષ તે નય કહેવાય, એવું નયનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. અને સર્વે પણ વસ્તુઓ અનંત અંશ (ધર્મ) વાળી છે. તેથી અનંત અંશાત્મક એવી કોઈપણ એક વસ્તુમાં એક એક અંશને પ્રયોજનાનુસાર જણાવનાર પ્રતિપત્તાના જે અભિપ્રાય વિશેષ તે નય કહેવાય છે. આ પ્રમાણે હોવાથી વસ્તુમાત્રમાં ધર્મો અનંતા છે. તેથી તે અનંત અંશોને જણાવનારા નયો પણ તેટલા (અનંતા) થાય છે. તેથી તે સર્વે નયો નિશ્ચિત સંખ્યાવડે ગણી શકાવાને શક્ય નથી. માટે વ્યાસથી વિચારીને નયોનું અનેક પ્રકારત્વ કહેલું છે. અર્થાત્ વ્યાસથી વિચારીએ તો અનંત ગયો છે. એમ જાણવું. . ૭-જા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy