SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ निर्णयार्थमपदिष्टः प्रकरणसमः इति । यस्मात् प्रकरणस्य पक्षप्रतिपक्षयोश्चिन्ता विमर्शात्मिका प्रवर्तते । कस्माच्चासौ प्रवर्तते ? विशेषानुपलम्भात् स एव विशेषानुपलम्भो यदा निर्णयार्थमपदिश्यते तदा प्रकरणमनतिवर्तमानत्वात् प्रकरणसमो भवति, प्रकरणे पक्षे प्रतिपक्षे च समस्तुल्य इति । यथा अनित्यः शब्दो नित्यधर्मानुपलब्धेरित्येकेनोक्ते, द्वितीय आह यद्यनेन प्रकारेणानित्यत्वं साध्यते, तर्हि नित्यतासिद्धिरप्यस्तु, अन्यतरानुपलब्धेस्तत्रापि सद्भावात् । तथाहि - नित्यः शब्दोऽनित्यधर्मानुपलब्धेरिति ॥ ૧૩૦ “પ્રકરણસમ” નામનો પણ એક હેત્વાભાસ કે જેનું બીજું નામ સત્પ્રતિપક્ષ છે. તે પણ માનવા જેવો નથી. કારણકે તેનું લક્ષણ આ પ્રમાણે છે જે હેતુથી પ્રકરણની ચિંતા પ્રવર્તે, તે હેતુ વસ્તુતત્ત્વનો નિર્ણય કરવા-કરાવવામાં અપવિષ્ટઃ-વિચારાય, પણ નિર્ણય માટે જે અસમર્થ છે. તુચ્છ છે. તેથી તે હેતુને પ્રકરણસમ કહેવાય છે. સારાંશ કે જે હેતુથી ચાલુ પ્રકરણના પક્ષની અને પ્રતિપક્ષની વિચારણાત્મક ચિંતા પ્રવર્તે તે હેતુ પ્રકરણસમ. પક્ષ સાચો છે? કે પ્રતિપક્ષ સાચો છે? આવી ચિંતા જ્યાં પ્રવર્તે તે હેતુ પ્રકરણસમ જાણવો. સ્માાસૌ પ્રવર્તતે આ ચિંતા કેમ પ્રવર્તતી હશે ? એવી શંકા થાય. તેનો ઉત્તર એ છે કે વિશેષાનુપત્નમાત્-જે પક્ષની સિદ્ધિમાં અને પ્રતિપક્ષની સિદ્ધિમાં કોઇ વિશેષતા ન દેખાતી હોય તેથી આ શંકા બળવાન બને છે. જ્યારે નિર્ણય માટે વિચાર કરાય ત્યારે પક્ષનું પ્રકરણ અને પ્રતિપક્ષનું પ્રકરણ એક સરખું સમાન જણાતું હોવાથી તે બન્નેમાં રહેલો તે જ વિશેષાનુપલંભ ચાલુ પ્રકરણનું ઉલ્લંઘન કરનાર ન હોવાથી, તેમાં જ જીવ અટવાયા કરતો હોવાથી “પ્રકરણસમ” હેત્વાભાસ કહેવાય છે. કારણકે જ્યારે પક્ષાત્મક પ્રકરણ તરફ દૃષ્ટિ કરે ત્યારે પણ અને જ્યારે પ્રતિપક્ષાત્મક પ્રકરણ તરફ દૃષ્ટિ કરે ત્યારે પણ સમાનતા જ જણાય છે. તેથી તે પ્રકરણસમ કહેવાય છે જેમકે શબ્દઃ અનિત્ય: નિત્યધર્માનુપનઘ્યેઃ શબ્દ એ નિત્ય છે. નિત્યના જે ધર્મો અનાદિ-અનંતતા, અનુત્પત્તિ-અવિનાશક્તા ઇત્યાદિ દેખાતા ન હોવાથી. આ પ્રમાણે એક વાદી શબ્દને અનિત્ય સિદ્ધ કરવા માટે ઉપરોક્ત પ્રકરણ રજા કરે. તેટલામાં આ વાત સાંભળીને બીજો વાદી કહે છે કે– જો આ પ્રકાર વડે શબ્દનું અનિત્યપણું સધાતું હોય (અર્થાત્ સિદ્ધ કરી શકાતું હોય) તો તેવી જ રીતે નિત્યતાની પણ સિદ્ધિ હો. (અમને પણ આવું બોલતાં અને જોડતાં આવડે છે કે) શદ્ધુ: નિત્ય: અનિત્યધર્માનુપત્નઘ્યે: શબ્દ એ નિત્ય છે. કારણકે અનિત્યના જે ધર્મો ઉત્પત્તિ-વિનાશવાળાપણું. સાદિ-સાન્તપણું તે જણાતું નથી. કારણકે આકાશ નિત્ય છે. તેથી તેનો ગુણ પણ સદા છે જ. અર્થાત્ નિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy