SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પરિચ્છેદ ૬-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ अन्यथानुपपत्तेरभावोऽनध्यवसायाद् विपर्ययात् संशयाद् वा स्यात्, प्रकारान्तरासम्भवात्, तत्र च क्रमेण यथोक्तहेत्वाभासावतार इति नोक्तहेत्वाभासेभ्योऽभ्यधिकः कश्चिदकिञ्चित्करो नाम । ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે કે- તમારા વડે કહેવાયેલો આ અકિંચિત્કર હેતુ શું અન્યથાનુપપત્તિ એવા સહેતુના લક્ષણથી સહિત છે કે રહિત છે ? જો પ્રથમપક્ષ કહો એટલે કે સહેતુના લક્ષણથી સહિત હોય તો સાધ્યની સાથે અવિનાભાવ સંબંધવાળો હોવાથી ભલે સહેતુ હોય. પરંતુ આખું અનુમાન (૧) પ્રતીતસાધ્યધર્મવિશેષણ, (૨) પ્રત્યક્ષનિરાકૃત સાધ્યધર્મ વિશેષણ અને (૩) આગમનિરાકૃત સાધ્યધર્મવિશેષણ વગેરે પક્ષસંબંધી દોષો વડે દુષ્ટ હોવાથી “પક્ષાભાસોનું નિવારણ કરવું અશક્ય છે, કારણ કે તે તે દોષો વડે આ અનુમાન દુષિત બનેલું છે. આ જ મૂલગ્રંથ “પ્રમાણનયતત્તાલોક”ના ત્રીજા પરિચ્છેદના ૧૪ થી ૧૭ સુધીના સૂત્રમાં પક્ષ કેવો હોવો જોઈએ તે સ્પષ્ટ કહ્યું છે. (૧) અપ્રતીત, (૨) અનિરાકૃત, અને (૩) અભીસિત. તમે કહેલા આ ત્રણે ઉદાહરણોમાં “શબ્દ શ્રાવUT:” એ પ્રથમ અનુમાનમાં પક્ષ પ્રતીત હોવાથી “પ્રતીત-સાધ્યધર્મવિશેષણ” નામના દોષથી દુષ્ટ છે. કારણકે પક્ષ “અપ્રતીત” જ હોવો જોઈએ એવું પક્ષના લક્ષણમાં કહેલું છે. તથા “Mવિ મનુષ્યT:” આ બીજા અનુમાનમાં પણ પક્ષ નિરાકૃત-ખંડિત-પ્રત્યક્ષવિરુદ્ધ હોવાથી “પ્રત્યક્ષનિરાકૃતસાધ્ય-ધર્મવિશેષણ” નામના દોષથી દુષ્ટ છે. કારણકે પક્ષના લક્ષણમાં “અનિરાકૃત” લખેલું છે. તથા “તના વનિતા સેવનવા" આ ત્રીજા અનુમાનમાં પણ પક્ષ આગમથી નિરાકૃત હોવાથી “આગમનિરાકૃતસાધધર્મવિશેષણ” નામના દોષથી દુષ્ટ છે. કારણકે પક્ષના લક્ષણમાં “અનિરાકૃત” બન્ને જાતનું લીધેલું છે. આ રીતે આ સર્વે અનુમાનો પક્ષના દોષોથી જ દુષ્ટ હોવાથી હેતુના દોષોની ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી. એવો પણ પ્રશ્ન ન કરવો કે જ્યાં પક્ષના દોષો હોય ત્યાં હેતુના દોષોનો પણ વિચાર કરવો જોઇએ. આવી યુક્તિ ઉચિત નથી. કારણ કે પક્ષના દોષો હોવાથી જ અનુમાન દૂષિત થઈ જ ગયું. છતાં જો હેતુ-દોષો વિચારાય તો દેખાજોના દોષો અને આદિ શબ્દથી ઉપનયના દોષો અને નિગમનના દોષો પણ અવશ્ય કહેવા જ જોઇએ એવો પ્રસંગ આવશે. માટે પક્ષ-દોષોથી જ દૂષિત થતું અનુમાન દૂષિત છે. મરેલાને મારવાનું હોતું નથી. હવે જો બીજો પક્ષ કહો એટલે કે “અન્યથાનુપપત્તિ” નામના હેતુના લક્ષણથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy