SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧ ૨ પરિચ્છેદ ૬-૫૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ વૃત્તિવાળા હેત્વાભાસો વિપક્ષમાં વ્યાપક હોવાથી વિરુદ્ધ પણ છે અને પક્ષના એકદેશમાં અવૃત્તિ હોવાથી અસિદ્ધ પણ છે. આ પ્રમાણે વિરુદ્ધહેત્વાભાસના જે આઠ ભેદો માને છે. તે વિરુદ્ધના ઉપરોક્ત લક્ષણમાં અંતર્ગત હોવાથી એક ભેદમાં જ સમાઈ જાય છે. धर्मिस्वरूपविपरीतसाधन-धर्मिविशेषविपरीतसाधनौ तु सौगतसंगतौ हेत्वाभासावेव न भवतः। साध्यस्वरूपविपर्ययसाधकस्यैव विरुद्धत्वेनाभिधानात् । अन्यथा समस्तानुमानोच्छेदापत्तिः । तथाहि-अनित्यः शब्दः कृतकत्वादिति हेतुरनित्यतां साधयन्नपि यो यः कृतकः सः शब्दो न भवति, यथा घटः, यो यः कृतकः सः श्रावणो न भवति यथा स एवेति धर्मिण: स्वरूपं विशेषं च बाधते एवेत्यहेतुः स्यात् , न चैवं યુવમિતિ દ્-કરૂ છે જૈનદર્શનકાર તથા નૈયાયિક-વૈશેષિકાદિ કેટલાક અન્ય દર્શનકારો જે હેતુ સાધ્યના વિપર્યયને સાધતો હોય તે હેતુ સાધ્યના સાધક તરીકે જો મુકાય તો તેને વિરુદ્ધ-હેત્વાભાસ કહેવાય એમ માને છે. તેને બદલે બૌદ્ધો કંઇક જુદું માને છે. તેથી પ્રથમ તેની વાત રજુ કરીને પછી તેનું ખંડન ગ્રંથકારશ્રી કરે છે. ધર્મિના (પક્ષના) સ્વરૂપથી વિપરીતને જે સાધે તે તથા ધર્મિના (પક્ષના) વિશેષધર્મથી વિપરીતને જે સાધે છે, બન્ને વિરુદ્ધહેત્વાભાસ કહેવાય છે. આવા બૌદ્ધ માનેલા જે બે વિરુદ્ધહેત્વાભાસ છે. તે હેત્વાભાસ જ થતા નથી. કારણ કે માત્ર સાધના સ્વરૂપના વિપર્યયના જે સાધક હોય તેને જ દર્શનકારો વિરુદ્ધહેત્વાભાસ કહે છે. મચથી=જો એમ માનવામાં ન આવે અને પક્ષના સ્વરૂપના વિપર્યયને સાથે તેને, તથા પક્ષનો જે વિશેષ ધર્મ તેના વિપર્યયને સાધે તેને વિરુદ્ધહેત્વાભાસ જો કહેવામાં આવે તો સમસ્ત અનુમાનોનો પણ ઉચ્છેદ થવાની જ આપત્તિ આવે. સર્વે સાચાં અનુમાનો પણ ખોટાં જ થઈ જશે. તે આ પ્રમાણે શઃ (પક્ષ), નિત્ય: (સાધ્ય), વૃતંત્વાન્ત (હેતુ) પદવત્ આ અનુમાનનો કૃતકત્વ હેતુ હેત્વાભાસના સમસ્ત દોષોથી રહિત હોવાથી અનિત્યતા નામના પોતાના સાધ્યને બરાબર સાધતો હોવાથી સહેતુ જ છે. છતાં વિરુદ્ધહેત્વાભાસની વ્યાખ્યા જો ઉપરોક્ત બૌદ્ધ-માન્ય સ્વીકારવામાં આવે તો આ સહેતુ પણ વિરુદ્ધહેત્વાભાસ જ થાય છે. “જે જે કૃતક હોય તે તે બધા શબ્દ જ હોય” એવું નથી, જેમકે ઘટ કૃતક છે. પરંતુ શબ્દાત્મક નથી. આ પ્રમાણે કૃતકત્વ હેતુ શબ્દાત્મક પક્ષના સ્વરૂપથી વિપરીત શબ્દાભાવાત્મકને પણ સાથે જ છે. તેથી પ્રથમ વ્યાખ્યા પ્રમાણે વિરુદ્ધ જ થઈ જશે. તથા “જે જે કૃતક હોય તે તે શ્રોત્રગ્રાહ્ય હોતા નથી” જેમકે તે જ ઘટ. અહીં કૃતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy