SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પરિચ્છેદ ૬-૫૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ જે અનુમાનમાં મૂકાયેલા હેતુનો “સપક્ષ” જગતમાં પ્રાપ્ત હોય, તેવા વિરુદ્ધહેત્વાભાસના ચાર ભેદો છે. (૧) પક્ષવિપક્ષવ્યાપક, (૨) પક્ષવ્યાપકવિપક્ષેકદેશવૃત્તિ, (૩) પક્ષવિપક્ષકદેશવૃત્તિ, (૪) પક્ષકદેશવૃત્તિવિપક્ષવ્યાપક એમ જે દર્શનકારો કહે છે તે સર્વે ભેદો એકલક્ષણવાળા વિરુદ્ધમાં અંતર્ગત થઈ જાય છે. તે આ પ્રમાણે જે હેતુ પક્ષમાં પણ સંપૂર્ણપણે વ્યાપીને વર્તતો હોય અને વિપક્ષમાં પણ વ્યાપીને વર્તતો હોય (અર્થાત્ સપક્ષ હોવા છતાં તેમાં કયાંય જે હેતુ ન વર્તે) તે હેતુ પક્ષવિપક્ષવ્યાપવા નામનો પ્રથમ વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે નિત્ય: શબ્દઃ વાર્યત્વાન્ આ અનુમાનમાં વ્યોમાદિ (વ્યોમ, દિશા, કાળ, આત્મા અને પરમાણુઓ) નિત્ય છે. તેથી સપક્ષ વિદ્યમાન છે. હવે કહેવાતા આ વિરુદ્ધ હેત્વાભાસના ચારે ભેદોમાં વ્યોમાદિ નિત્ય પદાર્થો સ્વરૂપ સપક્ષ વિદ્યમાન છે. અને અર્થત્વ હેતુ તે સપક્ષમાં ક્યાંય નથી. પરંતુ કંઠતાલુજન્ય એવા શબ્દપક્ષમાં અને ઘટ-પટાદિ વિપક્ષમાં સર્વત્ર વર્તે છે. માટે સપક્ષની વિદ્યમાનતાવાળા આ અનુમાનનો હેતુ પક્ષ અને વિપક્ષમાં સર્વત્ર વ્યાપક છે. એમ પ્રથમભેદનું આ ઉદાહરણ છે. પ્રગ્ન– આ વાર્યત્વ હેતુ પક્ષીભૂત એવા શબ્દમાં અને વિપક્ષીભૂત એવા ઘટપટાદિમાં અવશ્ય સર્વત્ર વ્યાપક છે. પરંતુ તૈયાયિક અને વૈશેષિકોના મતે ધ્વસતિયત્વે નિત્યમ્ અને áસપ્રતિયોગિતં નિત્યઆવું નિત્ય-અનિત્યનું લક્ષણ છે. જેનો ભાવિકાળે ધ્વંસ થવાનો ન હોય એટલે કે જે વસ્તુ ધ્વસની અપ્રતિયોગી હોય તે નિત્ય, અને જેનો ભાવિકાળે ધ્વંસ થવાનો હોય એટલે જે વસ્તુ ધ્વંસની પ્રતિયોગી હોય તે અનિત્ય એમ તેઓ કહે છે. આ વ્યાખ્યા પ્રમાણે જેમ પક્ષીભૂત શબ્દ અને વિપક્ષીભૂત ઘટ-પટાદિ ભાવિકાળે ધ્વસવાળા હોવાથી અનિત્ય છે. અને તેમાં કાર્યત્વ હેતુ વર્તે છે. તેમ પ્રાગભાવ પણ અનાદિ-સાત્ત હોવાથી ભાવિકાળે ધ્વસવાળો જ છે. તેથી અનિત્ય જ છે. વિપક્ષ જ થશે. અને તેમાં ઉત્પત્તિમત્ત્વ એવું કાર્યત્વ અનાદિ હોવાથી નથી. તેથી આ વાર્યત્વ હેતુ વિપક્ષ એવા ઘટ-પટાદિમાં છે. પરંતુ વિપક્ષ એવા પ્રાગભાવમાં નથી. તેથી પક્ષ-વિપક્ષવ્યાપકમાં વિપક્ષની અંદર સર્વત્ર વ્યાપક્તા સિદ્ધ થતી નથી. ઉત્તર- દ્વસંપ્રતિનિત્વમ્ નિત્ય-જેનો ભાવિકાળે ધ્વંસ થવાનો હોય તે અનિત્ય અને ઉત્પત્તિમાન્ જે હોય તે કાર્યત્વ એવી વ્યાખ્યા અમે અહીં લીધી નથી. પરંતુ સ્વાર સમવાય. પર્યત્વ, માન્તોપત્નક્ષતા સત્તાનિત્યત્વમત્યેકપોતાના કારણોમાં (અથવા અવયવોમાં) સમવાય સંબંધથી જે વર્તે તે કાર્યત્વ અમે અહીં લીધું છે. જેમકે કપાલદ્વયમાં ઘટકાર્ય અને અનેક તતુ અવયવમાં પટકાર્ય વર્તે છે. તેવું કાર્યત્વ અમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy