SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ પરિચ્છેદ ૬-૫૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ છે. આ પ્રમાણે વ્યાપક એવા અનેકાત્મકતાથી વિરુદ્ધ એવું સર્વર્થક્ય તમે નૈયાયિકોએ સામાન્યમાં માન્યું છે. માટે (વ્યાપકના વિરુદ્ધની ઉપલબ્ધિ હોવાથી) વ્યાપ્ય એવું નાવૃત્તિત્વ અનેક વ્યક્તિવૃત્તિત્વ હવે સંભવી શકતું નથી. વ્યાપ્ય એવા ધૂમના વ્યાપક એવા વહ્મિનો વિરોધી જળભંડાર જ ઉપલબ્ધ છે તો વ્યાપ્ય એવા ધૂમની નિવૃત્તિ જ હોઈ શકે છે. તેવી રીતે વિરોઐક્ય સન્માન વ્યાપક્ષસ્થાને નિવૃન્યા (વ્યાપક એવી અનેકાત્મતાનું) વિરોધી એવું સર્વથા ઐક્ય તમારા મતે વિદ્યમાન હોવાથી વ્યાપક એવી અનેકાત્મકતાની નિવૃત્તિ જ થશે અને વ્યાપક એવી અનેકાત્મક્તાની નિવૃત્તિ થવાથી વ્યાપ્યથાને વૃત્તિવશ્ય નિવૃત્ત =વ્યાપ્ય એવી અનેકવ્યક્તિવૃત્તિત્વની પણ અવશ્ય નિવૃત્તિ જ થશે. જેમ વિરોધી એવો જળભંડાર દેખાવાથી વ્યાપક એવા વહ્નિની નિવૃત્તિ થાય છે. અને વ્યાપકની નિવૃત્તિથી વ્યાપ્ય એવા ધૂમની નિવૃત્તિ થાય છે. તેવી રીતે અનેકાત્મકતાની વિરોધી એવી સર્વથા એક્યતા જ સ્વીકારવાથી વ્યાપક એવી અનેકાત્મકતા નિવૃત્તિ પામે છે અને તેની નિવૃત્તિથી વ્યાપ્ય એવી અનેકવ્યક્તિવૃત્તિત્વ પણ અવશ્ય નિવૃત્તિ જ પામે છે. સર્વચૈ ચે હોવાથી અને કાત્મક્તા નથી. અને અનેકાત્મકતા નથી એટલે અનેકવ્યક્તિવૃત્તિતા નથી. એમ સિદ્ધ થાય છે. न च तन्निवृत्तिरभ्युपगतेति लब्धावसरः प्रसङ्गविपर्ययाख्यो विरुद्धव्याप्तोपવ્યરૂપોન્ન મૌત્નો હેતુ યથા યવૃત્તિ ત =ઉપર પ્રમાણે વસ્તુસ્થિતિ હોવા છતાં પણ તે તૈયાયિકો ! તમે નિવૃત્તિ એટલે અનેકવ્યક્તિવૃત્તિત્વની નિવૃત્તિ સામાન્યમાં માની નથી. સારાંશ કે વ્યાપક એવી અનેકાત્માત્મક્તાનું સર્વઐક્ય એ સર્વથા વિરોધી જ છે. અને જ્યાં વ્યાપકનું વિરોધી તત્ત્વ હોય ત્યાં વ્યાપકની નિવૃત્તિ જ હોય, તથા વ્યાપકની નિવૃત્તિ થયે છતે વ્યાપ્યની પણ નિવૃત્તિ જ હોવી જોઇએ. છતાં તમે વ્યાપકનું વિરોધી સર્વથક્ય પણ સામાન્યમાં માન્યું અને વ્યાપ્ય એવું અનેકવ્યક્તિવૃત્તિત્વ પણ માન્યું તેની નિવૃત્તિ ન માની. તેથી વિરુદ્ધવ્યાતોપલબ્ધિ સ્વરૂપવાળો પ્રસંગવિપર્યય નામનો મૂળ હેતુ અહી પ્રાપ્ત-અવસરવાળો બન્યો. - ભાવાર્થ આ પ્રમાણે છે કે- જે સર્વર્થક્ય હોય તે પ્રતિનિયત એક વ્યક્તિવૃત્તિ રૂપ જ હોય. પરંતુ સામાન્યમાં તેનાથી વિદ્ધ એવું અનેકવ્યક્તિવૃત્તિત્વ વ્યાપ્તપણે ઉપલબ્ધ થાય છે. તેથી સર્વર્થક્ય નથી જ, પરંતુ અનેકત્વ છે. એમ પ્રસંગ વિપર્યય નામનો મૂળહેતુ છે કે જે સામાન્યના સર્વથે કયનો નિષેધ સિદ્ધ કરે છે. અને અનેકાત્મકતાને ઘોષિત કરે છે. જેમકે જે જે વસ્તુ અનેક પદાર્થોમાં વૃત્તિવાળી હોય છે તે તે વસ્તુ અનેકાત્મક હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy