SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૧૬ મુકાયેલું શીતળતા સાધ્ય વહ્નિમાં પ્રત્યક્ષ પ્રમાણ વડે બાધિત છે. માટે દ્રવ્યત્વ હેતુ બાધિત વિષયવાળો કહેવાય છે. તથા વિાળ સુરા જેવા દ્રવત્થાત્ નવત્ = બ્રાહ્મણે દારૂ પીવો જોઈએ. દ્રવીભૂત પદાર્થ હોવાથી, પાણીની જેમ, અહીં દારૂ પીવો જોઈએ આ સાધ્ય આગમશાસ્ત્રોથી બાધિત છે. તેથી દ્વિવત્વ હેતુ પણ બાધિતવિષયવાળો છે. આ પ્રમાણે પ્રથમાનુમાનમાં વ્યત્વ હેતુ અને બીજા અનુમાનમાં દ્વવત્વ હેતુ જેમ પ્રત્યક્ષ વડે અને આગમ વડે અનુક્રમે બાધિત સાધ્યના વિષયવાળા છે તેવો બાધિતવિષયવાળો હેતુ હોવો ન જોઈએ. આ હેતુનું ચોથું લક્ષણ જાગવું. (૫) સxતિપક્ષમ્ - સાધ્યથી વિપરીત જે અર્થ એટલે કે સાધ્યાભાવ, તેને સાધનારૂં જે પ્રતિસ્પર્ધી અનુમાન, તેનાથી રહિત હેતુ હોવો જોઈએ, ચાલુ અનુમાનમાં એવો હેતુ હોવો જોઈએ કે તે અનુમાનના વિવક્ષિત સાધ્યના અભાવને સાધી આપે તેવા હેતુવાળું પ્રતિસ્પર્ધી અનુમાન મળવું જ ન જોઈએ તે અસતિપક્ષ. ( X નથી, સત્ = વિદ્યમાન, પ્રતિપક્ષ = વિરોધી પક્ષ, જેમાં તે અસત્પતિપક્ષ). જેમ કે પર્વતો વલ્લમાનું ધૂમતુ માનવત્ - અહીં આ પર્વતમાં ધૂમ દેખાતો હોવાથી વહ્નિ છે જ, વહ્નિના અભાવને સાધનારૂં કોઈ પણ અનુમાન નથી જ. માટે આ હેતુ અસત્પતિપક્ષ કહેવાય છે. પરંતુ હવે જણાવાતા હેતુ જેવો સત્પતિપક્ષતાવાળો હેતુ ન હોવો જોઈએ. જેમ કે રાઃ (પક્ષ), નિત્ય: (સાધ્ય), નિત્યધર્માનુપળેઃ (હેતુ), શબ્દ એ નિન્ય છે. કારણ કે અનિત્ય ધમાં ન દેખાતા હોવાથી, આ અનુમાન સપ્રતિપક્ષતાવાળું છે કારણ કે આ અનુમાનમાં સાધ્ય જે નિત્ય છે તેનો જે અભાવ તે અનિયત્વ, તેને સાધનારૂં પ્રતિસ્પર્ધી અનુમાન મળે છે. તે અનુમાન આ પ્રમાણે છે “શબ્દ એ અનિત્ય છે કારણ કે નિત્યતાના ધર્મો ન દેખાતા હોવાથી” આવા પ્રકારનું પ્રતિપક્ષી અનુમાન મળી શકે છે. માટે રી, નિત્ય નિયધર્માનુજો આ પ્રથમ અનુમાન જેમ સત્પતિપક્ષતાવાળું છે. તેવું જ ન હોય તે જ સાચો હેતુ છે આ હેતુનું પાંચમું લક્ષણ છે. આ પ્રમાણે બૌદ્ધદર્શનના મતે ત્રણ અને યોગદર્શનના મતે પાંચ લક્ષણો જેમાં હોય તે જ હેતુ સાધ્યનો ગમક જાગવો. તેથી આવા પ્રકારના ત્રણ અથવા પાંચ લક્ષણોથી લક્ષિત હેતુનું હોવું એ જ નિર્દોષ લિંગ છે. એમ સૌગતનો અને યોગદર્શન વાળાનો અભિપ્રાય છે. આ તેઓના કહેવા પ્રમાણે પૂર્વપક્ષ સમજાવ્યો. તેઓને પ્રત્યુત્તર આપતાં ગ્રંથકારશ્રી હવે જણાવે છે કે ન જાવું નિરપવ = આ ત્રણ-પાંચ લક્ષાગવાળો પરદર્શનકારોએ કહેલો હેતુ નિર્દોષ નથી અર્થાતુ દોષથી યુક્ત છે. કારણ કે ત્રણપાંચ લક્ષણો હોવા છતાં પાગ હેત્વાભાસ હોય છે. આ જ વાત હવે પછીના તેરમા સૂત્રમાં ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે. ૩-૧રા. एतदुपपादयन्ति - તસ્ય હેત્વીમીયાપિ સન્મવત્ રૂ-૨૩ાા ત્રણ અને પાંચ લક્ષણવાળું હેતુનું લક્ષણ દોષવાળું છે આ જ વાત આ સૂત્રમાં જણાવે છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy