SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૭૮ હોય તે મહિષ” “ઉટથી વિસદશ હોય તે રાસભ” ઈત્યાદિ વિસદશાસૂચકવાક્યોમાં પણ પૂર્વાપર સંકલનાત્મક જ જ્ઞાન છે, માટે તે પણ પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. તેથી ટીકાની પંક્તિઓનો અર્થ આ પ્રમાણે છે - ગાય આદિ પ્રાણીઓમાં “ોત્વ- ગાયપણું” ઈત્યાદિ સ્વરૂપ જે સરખે સરખા પર્યાયાત્મકપણું તે તિર્યસામાન્ય જાણવું અને પૂર્વાપર -આગળ-પાછળ આવનારા વિવર્ત = પર્યાયોના સમુહમાં વ્યાપીને રહેનારૂં “માટી” આદિ દ્રવ્યાત્મકપણું તે ઉર્ધ્વતા સામાન્ય જાણવું. આ બન્ને સામાન્ય છે આદિમાં જેને એવા વિસદશપરિણામાદિ જે ધર્મસમુહ, તે તિર્યગૂર્વતાસામાન્યાદિ, આ ત્રણે ધર્મસમુહ (૧) તિર્યસામાન્ય, (૨) ઉર્ધ્વતાસામાન્ય, (૩) વિસદશપરિણામતા ઈત્યાદિ છે વિષય જે જ્ઞાનનો તે જ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. આ પંક્તિથી પ્રત્યભિજ્ઞાનનો વિષય સમજાવ્યો છે.' હવે પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે - કોઈ પણ વસ્તુનું વિવણિત ધર્મથી યુક્તપણા વડે પ્રત્યવમર્શન (સમન્વય) કરવું. એટલે કે પૂર્વાપર પર્યાયોનો સંબંધ જોડી આપવો. કોઈ પણ વસ્તુમાં બની ગયેલા અને બનતા અથવા બનવાવાળા પર્યાયોમાં વસ્તુનો સંબંધ જોડી આપવો એવો છે માત્મા એટલે સ્વભાવ જે જ્ઞાનનો તે જ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. - જેમ કે “આ પણ ગાય છે અને તે પણ ગાય છે” આ વાક્યમાં બન્ને ગાયોનો વિવક્ષિત એવા ગોત્વ ધર્મથી પ્રત્યવમર્શ (સમન્વય) કર્યો છે તથા બાળક-યુવાન અને વૃદ્ધ એમ ત્રણે અવસ્થામાં તે જ આ દેવદત્ત છે આ વાક્યમાં ભિન્ન-ભિન્ન પર્યાય હોવા છતાં વિવક્ષિત એવા દેવદત્તત્વ ધર્મથી યુક્તપણા વડે વસ્તુનો પ્રત્યવમર્શ (સમન્વય) કયોં છે. તથા “આ મહિષ તે ગાયથી વિસદશ છે” આ વાક્યમાં એક મહિષ દ્રવ્યનો વિસદશપરિણામપણે ગાયની સાથે સમન્વય કર્યો છે. આ પ્રમાણે સંકલનાત્મક જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે આ પ્રત્યભિજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. ૩-પા अत्रोदाहरन्ति નથી . “તજ્ઞાતીય વાયં પve”, “નોદ વિય”, “સ વાયં વિનત્ત:' રૂત્યાદ્રિ રૂ-દા. હવે આ પ્રત્યભિજ્ઞાનનાં કમશઃ ઉદાહરણો આપે છે. (૧) આ ગાયોનો પિંડ = સર્વે ગાય તેની જાતિની જ છે અર્થાત સર્વે ગાયો ગાયપાસે સમાન જ છે. (૨) ગાયના સરખું જે હોય તે ગવય કહેવાય છે અને (૩) તે જ આ જિનદત્ત છે ઈત્યાદિ ઉદાહરણો જાણવા ૩-૬ ટીકા :- મૈત્ર ““તજ્ઞાતીય વાયં પિve” રૂત્યમિ તિર્થસામાન્યતાને 7િsfu સદર गवयः" इति यत्तत्रैव उदाहरणान्तरं तद् नैयायिककदाग्रहनिग्रहार्थम् । तस्य खलु "गोसदृशो गवयः" इति उपमानमित्यभिमानः । स चायुक्तविधानः । “गोविसदृशो महिषः" इत्यस्य प्रमाणान्तरत्वापत्तेः । अथ गवये "गोसदृशो गवयः" इति विज्ञानं प्रत्यक्षफलमपि संज्ञा-संझिसम्बन्धप्रतिपत्तिरूपे फले प्रमाणान्तरप्रसाध्ये साधकतमत्वात् उपमानतां प्रतिपद्यते, तर्हि महिपे गोविसदृशमहिपोपलक्षणं प्रत्यक्षफलमपि तत्रैव तथाविधे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy