SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ ૭૩૭ રત્નાકરાવતારિકા = હવે કદાચ તમે એવો બચાવ કરો કે સહકારીકારણો વડે કરાયેલા અને ધર્મી એવા બીજ આદિથી અત્યંત અસ્વભાવભૂત (ભિન્ન) રહેલા એવા તેપિ તે ઉપકાર વડે તસ્ય તે ધર્મી એવા બીજ આદિ ઉપાદાનને કંઈક બીજો ઉપકાર કરાય છે. તો ત્યાં પણ અમે તમને આ જ પ્રશ્નો કરવાના કે તે કરાયેલો બીજો ઉપકાર પણ ધર્મીથી અસ્વભાવભૂત કે સ્વભાવભૂત ? તેમાં પણ પૂર્વોક્ત જ દોષો લાગવાના છે. અને તેનાથી ત્રીજો-ચોથો ઈત્યાદિ વારંવાર ઉપકાર માનતાં ઉપકારોની પરંપરા ચાલતાં છાપા અનવસ્થા આ મોટી અનવસ્થા (દોષ) આવશે. આ પ્રમાણે ઉપરોક્ત ચાર પક્ષોમાંથી તૈતઃ રોતિ એ અર્થવાળો પ્રથમપક્ષ ઉચિત નથી. तैः सह करोतीत्यादिपक्षोsपि नाक्षुणः स्वभावस्य तादवस्थ्यात् । न ह्यस्य सहकारिव्यावृत्तौ स्वभावव्यावृत्तिरिति तैर्विनाssपि कुर्यात् । ननु यत एव सहकारिव्यावृत्तावस्य स्वभावो न व्यावर्तते, अत एव तैर्विनाऽपि न करोति । कुर्वाणो हि तैः सहैव करोतीति स्वभावं जह्यात् । स तर्हि स्वभावभेद: सहकारिसाहित्ये सति कार्यकरणनियत: सहकारिणो न जह्यात्, प्रत्युत पलायमानानपि गलेपादिकयोपस्थापयेत्, अन्यथा स्वभावहानिप्रसङ्गात् । હવે હે નૈયાયિક ! તૈ: સદ્ રોતીત્યાવિ = આ ધર્મી એવો નિત્ય પદાર્થ તે સહકારી કારણોની સાથે મળીને કાર્ય કરે છે ઈત્યાદિ અર્થવાળો બીજો પક્ષ જો માનો તો તે પણ (અક્ષુણ) નિર્દોષ નથી. અર્થાત્ દોષિત જ છે. કારણ કે ગમે તેટલા સહકારી કારણો આવે અથવા જાય તો પણ ધર્મી પદાર્થ નિત્ય હોવાથી સ્વમાવસ્ય તાવન્ધ્યાત્ = તેનો પોતાનો જે સ્વભાવ જેમ છે તે સ્વભાવ તેમ જ સદા અવસ્થિત જ રહે છે માટે સારિવાવૃત્તૌ સહકારી કારણોની વ્યાવૃત્તિ થાય તો પણ નહસ્ય સ્વમાવાવૃત્તિઃ આ ધર્મી નિત્ય પદાર્થના સ્વભાવની વ્યાવૃત્તિ થતી નથી.તેનો સ્વભાવ તો સદા તેનો તેજ રહે જ છે. માટે સહકારી કારણો હોતે છતે તે ધર્મો જેમ કાર્ય કરે છે. તેવી જ રીતે સહકારી કારણોની વ્યાવૃત્તિ થાય તો પણ, તૈર્વિનાવિાંત્તે સહકારીકારણો વિના પણ આ ધર્મી નિત્યપદાર્થ તેના જ સ્વભાવવાળો હોવાથી કાર્ય કરનાર જ બનશે. = બૌધ્ધ ननु यत एव = હે જૈન ! “તે સહકારી કારણો સાથે જ કાર્ય કરવું” આવા પ્રકારનો અર્થ સ્વમાવઃ આ ધર્મી નિત્ય પદાર્થનો જે સ્વભાવ છે તે સ્વભાવ સહારિાવૃત્તી સહકારીકારણોનો અભાવ થવા છતાં પણ યત વ ન ક્યાવર્તતે = જે કારણથી નિવૃત્તિ પામતો નથી, તે સ્વભાવ દૂર થતો નથી ગત પર્વ આ કારણથી જ સહકારી કારણોની નિવૃત્તિ થયે છતે ‘“તે સહકારી કારણો હાજર હોય તો જ કાર્ય કરવું’’ એવો સ્વભાવ વિદ્યમાન છતાં પણ તૈર્વિનાપિ न करोति તે સહકારીકારણો ન હોવાથી તેના વિના આ ધર્મી પદાર્થ પોતાનું કાર્ય કરતો નથી. એમ અમે માનીશું. કારણ કે ર્વાનો હિં સહકારી કારણોની નિવૃત્તિ થયે છતે પણ જો આ ધર્મી નિત્ય પદાર્થ પોતાનું કાર્ય કરે તો પોતાનું કાર્ય કરતા એવા તે ધર્મી પદાર્થે તૈઃ સહેવ રોતીતિ स्वभावं जह्यात् “તે સહકારી કારણોની સાથે મળીને જ કાર્ય કરવું'' એવા પ્રકારના પોતાના સ્વભાવનો ત્યાગ કરવો જ પડે, અને એવા સ્વભાવનો જો ત્યાગ કરે તો નિત્ય રહે નહીં માટે - - Jain Education International = = = For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy