SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦ રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન અનુપલંભ ન હોવાથી તેનાથી વ્યાપ્ય એવી અર્થક્રિયાકારિત્વની પણ વ્યાવૃત્તિ સંભવતી નથી. આ પ્રમાણે સાધાભાવમાં (વિપક્ષમાં) વ્યાપક હોવાથી વ્યાપ્ય પણ હોય જ છે વ્યાપ્ય એવું અર્થક્રિયાકારિત્વ હોવાથી તે સ્વરૂપ સત્ત્વ હેતુ પણ વિપક્ષમાં હોઈ શકે છે. એમ સંદિગ્ધ અનૈકાતિકતા થાય છે. બૌધ્ધ - ક્ષણિકાક્ષણિક (નિત્યાનિત્ય) નામનો વિપક્ષ સ્વીકારવામાં ક્રમ અને અક્રમનો અનુપલંભ નથી. પરંતુ ઉપલંભ છે એવું તમારું (જૈનોનું) જે કથન છે તે કેવી રીતે સમજવું ? ક્ષણિકાક્ષણિકમાં કમાક્રમનો ઉપલંભ છે. તે સમજાવો કે જેથી અર્થક્રિયાકારિત્વ અને તસ્વરૂપ સર્વ હેતુ પણ ત્યાં છે એમ અમને સમજાય, જૈન - કોઈ પણ એક કાર્ય કરીને બીજા અન્ય કાર્યનું કરવું તેને કેમ કહેવાય છે. કથંચિ એક રૂપે રહેલા એવા એક જ ઘટને અનુક્રમવાળાં એવાં સહકારિ કારાણોના સમુહના ઉપઢોકનના વશથી ક્રમશઃ ઘટ ઉપાડનારી અનેક સ્ત્રીઓના મસ્તક ઉપર ફેરવવાથી તે સ્ત્રીઓને પરિશ્રમ ઉત્પન્ન કરતા ઘટમાં આ ક્રમ સુપ્રસિધ્ધ જ છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે પાણીનો ભરેલો એક ઘટ છે તેને વારા ફરતી અનેક સ્ત્રીઓ ઉપાડે છે. ઉપાડવાની ક્રિયા કરવામાં ઉત્સાહ, ઉપાડી શકવાની ઉંમર, શરીર સૌષ્ઠવ, શક્તિ, દ્રવ્યલાભ વિગેરે બધાં સહકારી કારણો કહેવાય છે. આ સહકારીકારાગો જે જે સ્ત્રીઓમાં કમસર આવી મળે છે તેઓના મસ્તક ઉપર એકનો એક ઘટ વારાફરત ઉપાડાયા છે. અને જે સ્ત્રીના મસ્તક ઉપર જ્યારે ઉપાડાય છે તે સ્ત્રીને તે કાલે પરિશ્રમ પણ લાગે જ છે. ઘટ એકનો એક છે અને ક્રમશઃ ઉપાડાય છે અને ક્રમશઃ વેસ્ટમ = (પરિશ્રમ) ઉત્પન્ન કરવા રૂપ અર્થક્રિયા પણ કરે છે જ. આ રીતે કમાક્રમ નામનું વ્યાપક તથા અર્થક્રિયાકારિત્વ વ્યાપ્ય આ બન્ને ક્ષણિકાક્ષણિક નામના વિપક્ષમાં બરાબર સંભવે જ છે. તેમાં કંઈ શંકા છે જ નહીં. પોતાની જાતને અતિશય તાર્કિક માનનારા હે બૌધ્ધ ! અહીં તમે કદાચ આવા પ્રકારનો તર્ક કહેવાને શક્તિમાન છો. અર્થાત્ અમારી જૈનોની સામે કદાચ તમે આવો તર્ક (પ્ર) કરો કે - પક્ષેપક્રિયાથર્મળઃ = ક્ષેપ (એટલે વિલંબ-લાંબોકાળો. તેના વિના એટલે કે વિલંબ વિના કાર્ય કરવાના ધર્મવાળા અને સમર્થ (પૂર્ણપણે શકિત) સ્વભાવવાળા જે દ્રવ્યમાંથી જે વર્તમાન કાળે એક કાર્ય ઉત્પન્ન થયું. તે જ (કાર્ય કરવાનો) સ્વભાવ જો પૂર્વકાલમાં તે દ્રવ્યમાં હતો તો તે સ્વભાવ તત્સવિતું = જેમ તે કાલમાં (વર્તમાનકાળમાં) વિવક્ષિત કાર્ય કરે છે તેમ તવૈવ = ત્યારે જ (ભૂતકાળમાં જ) તત્ = તે વિવક્ષિત કાર્ય વિધાનઃ કરે, તો થે વાર્યતામ્ = કેમ અટકાવી શકાય ! સારાંશ કે જે બીજ થોડાક દિવસો પછી અંકુરા જનનનું કાર્ય કરે છે. તે જ બીજ વિના વિલંબે કાર્ય કરવાના ધર્મવાળું હોવાથી અને કાર્ય કરવામાં સમર્થ શક્તિ સ્વભાવવાળું હોવાથી થોડાક દિવસો પછીના વર્તમાનકાલે જેમ અંકુરો જન્માવે છે. તેમ તે જ સ્વભાવ પૂર્વકાળમાં (અંકુરો ઉત્પન્ન કર્યો તેના પૂર્વકાળમાં) પાણ હતો જ. થોડાક દિવસો પછીના વર્તમાનકાળમાં જેમ અંકુરાને જન્માવે છે તેની જેમ તવૈવ = ત્યારે જ (ભૂતકાળના દિવસોમાં જ) તત્ તે અંકુરા જનનનું કાર્ય વિધાન: કરે, તો તે સ્વભાવને ભૂતકાળમાં તે કાર્ય કરતાં કોના વડે રોકી શકાય ? ભૂતકાળમાં તે દ્રવ્યનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy