SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૯ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭૬ રત્નાકરાવતારિકા અભાવ છે તેવા સ્વકાલમાં = જાગ્રક્શાસંવેદન અને મરણવાળા કાળમાં ભલે કાર્યનો અભાવ છે પરંતુ ત = તે જાગ્રશાસંવેદનનો અને મરણનો અભાવ નથી જ. સારાંશ કે પ્રબોધાદિ કાર્યકાળમાં કારણનો અભાવ છે પરંતુ કાર્યનો અભાવ નથી. અને સ્વકાલમાં (કારણ કાળમાં) પ્રબોધાદિ કાર્યનો અભાવ છે પરંતુ તસ્ય = જાગ્રશાસંવેદનાદિ કારણનો અભાવ નથી. તેથી તમારે તમાવ: એવો વ્યતિરેક કેવી રીતે સિદ્ધિને પામશે ? અર્થાત્ વ્યતિરેક ત્યાં પણ ઘટતો નથી. માટે વ્યવહિતમાં કાર્યકારણભાવ કદાપિ સંભવતો નથી. પૂર્વચરહેતુ પૂર્વકાલવર્તી છે અને સાધ્ય પશ્ચાત્કાલવર્તી છે, તથા ઉત્તરચરહેતુ ઉત્તરકાલવર્તી છે અને સાધ્ય પૂર્વકાલવર્તે છે. એમ હતુ અને સાધ્ય વ્યવહિતકાલવાળા હોવાથી આ બન્ને હેતુઓનો સમાવેશ કાર્યક્ષેતુમાં કે કારણહેતુમાં અસંભવિત જ છે અને યથાર્થ અવિનાભાવ સંબંધ હોવાથી સાધ્યસિદ્ધિ થાય જ છે માટે આ બન્ને હેતુઓ પ્રજ્ઞાકર એવા બૌદ્ધ માન્ય રાખવા જોઈએ.૩-૭પા सहचरहेतोरपि स्वभावकार्यकरणेषु नान्तर्भाव इति दर्शयन्ति - सहचारिणोः परस्परस्वरूपपरित्यागेन तादात्म्यानुपपत्तेः, सहोत्पादेन तदुत्पत्तिविपत्तेश्च सहचरहेतोरपि प्रोक्तेषु नानुप्रवेशः ॥३-७६॥ સ્વભાવ-કાર્ય-કારણ-પૂર્વચાર અને ઉત્તરચર એમ પાંચ પ્રકારના હેતુની સિદ્ધિ કરીને ગ્રંથકારશ્રી હવે છઠ્ઠા સહચરહેતુની સિદ્ધિ કરતાં જણાવે છે કે – સહચરહેતુ પાર પૂર્વે કહી ગયેલા સ્વભાવહેતુમાં કાર્યક્ષેતુમાં કે કારાગહેતુમાં અંતભૂત થતો નથી. (સાધ્યની સાથે વર્તમાન હોવાથી પૂર્વચર અને ઉત્તરચરમાં તો અંતર્ગત ન જ થાય તે સ્વયં સમજાય તેમ છે તેથી ત્રાણમાં સમાવેશ પામતો નથી એવો ઉલ્લેખ કર્યો છે) તે હવે બરાબર સમજાવે છે - સહચારી એવા હેતુનું અને સાધ્યનું એમ બન્નેનું પરસ્પર સ્વરૂપ ભિન્ન ભિન્ન હોવાથી તે બન્નેની વચ્ચે તાદાભ્યસંબંધ સંભવતો નથી. તથા સાથે ઉત્પત્તિ હોવાથી તદુત્પત્તિસંબંધની પણ અનુપપત્તિ જ છે તેથી સહચરહેતુનો પણ કહેલા હેતુઓમાં અનુપ્રવેશ થતો નથી. અ૩-૭૬ ટીકા :- ય િદિ સંજરીયોર્જતુનોતીન્ચે તા પરસ્પરપરા સ્વરૂપોપમો ન भवेत् । अथ तदुत्पत्तिः, तदा पौर्वापर्येणोत्पादप्रसङ्गात् सहोत्पादो न स्यात् । न चैवम् । ततो नास्य प्रोक्तेषु स्वभावकार्यकारणेष्वन्तर्भावः ॥३-७६॥ ટીકાનુવાદ :- “આ આમ્રફળમાં (પક્ષ), વિશિષ્ટરૂપ ઉત્પન્ન થયું હોય એમ લાગે છે (સાધ્ય) વિશિષ્ટ રસનું આસ્વાદન થતું હોવાથી (હેતુ). આ એક અનુમાન છે. તેમાં મુકેલો હેતુ સહચર છે. તેનો સમાવેશ સ્વભાવાદિ પાંચમાંથી કોઈમાં પણ થતો નથી. તેથી છઠ્ઠા ભેદ તરીકે તેનો ઉલ્લેખ છે. તે વાત સમજાવે છે. (૧) જે સ્વભાવહેતુ હોય છે. ત્યાં હેતુ અને સાધ્યની વચ્ચે તાદાત્મસંબંધ હોય છે. જેમ વર્ષ નીવ: વેતનીતિ, નવું ઘર: પૌષિ વહિવત્ જીવ અને ચૈતન્ય, પુલ અને વાર્ણાદિમત્ત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy