SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર (૩) હવે જો ત્રીજો પક્ષ કહો કે જેટલો સમય આહારગ્રહણ કરે તેટલો સમય પરોપકારમાં વિઘ્ન થાય તે પક્ષ પણ ઉચિત નથી. કારણ કે ચોવીસ કલાકના અહોરાતમાં ફક્ત ત્રીજા પ્રહરના મુહૂર્ત માત્રમાં જ કેવલીઓ આહાર ગ્રહણ કરે છે અર્થાત્ ત્રીજા પ્રહરના મુહૂર્ત માત્ર જેટલા અલ્પકાળમાં ભગવન્તોને ભોજનક્રિયા હોય છે. શેષ સકલ કાળમાં તેઓ પરોપકાર પરાયણ જ હોય છે. આટલા માત્ર કાળની ક્રિયાને જો પરોપકારમાં વિઘ્નભૂત માનીએ તો વિહારાદિ ક્રિયા પણ તેવી થશે. માટે આ પક્ષ પણ ઉચિત નથી. (૪) આહાર કરવાથી પેટમાં શૂલ-અજીર્ણ-અપચો ઇત્યાદિ વિષૅચિકા (રોગો) થશે માટે કેવલીને કવલાહાર ન હોય આ પક્ષ પણ યુક્તિસંગત નથી કારણ કે આ કેવલીભગવન્તો હિતકારી અને પરિમિત આહાર સ્વીકારનારા હોય છે. સામાન્ય મુનિઓમાં પણ હિયાારા મિયાહારા પાઠ છે અને તે મુનિઓ પણ તેવો જ આહાર કરે છે તો કેવલી ભગવાનનું તો પૂછવું જ શું ? ૪૩૭ (૫) ભોજનક્રિયાથી ઈર્યાપથિકી ક્રિયાનો આશ્રવ થશે એ પાંચમો પક્ષ પણ ઉચિત નથી. કારણ કે કેવલી ભગવન્તોમાં સયોગિકેવલી (૧૩ મા) ગુણસ્થાનકે ઈર્યાપથિક આશ્રવ હોય જ છે. સર્વથા અનાશ્રવ દશા (એટલે સર્વસંવરભાવ) તો ચૌદમે ગુણસ્થાનકે જ આવે છે. અહીં કદાચ તમે એમ પ્રશ્ન કરો કે શ્વાસોચ્છવાસ કે રૂધિરાદિના ભ્રમણ રૂપ અસ્વાધીન એવી શારીરિક ક્રિયાઓથી ઈર્યાપથિક આશ્રવ કેવલીમાં ભલે હો. પરંતુ સ્વાધીન એવી અને જાણી બુઝીને કરાતી એવી આ ભોજનક્રિયાવડે ઈર્યાપથિક આશ્રવ કેવલી શા માટે આચરે ? જો આમ પુછો તો ગમન-આગમન-ઉઠવું-બેસવું-ઇત્યાદિ ક્રિયાઓ દ્વારા પણ સ્વાધીન ઈર્યાપથિક આશ્રવ કેમ આચરે ? માટે આ શરીરસ્થિતિ છે. ગમનાદિની જેમ કેવલિમાં હોય જ છે. (૬) મળ-મૂત્રાદિ કરવા રૂપ જુગુપ્સિત ક્રિયા કરવી પડે માટે ભગવાનને આહાર ન હોય આ છઠ્ઠો પક્ષ પણ યુક્તિસિધ્ધ નથી. કારણ કે કવલાહાર કર્યા પછી કાળાન્તરે કરાતી તે મળ-મૂત્રના નિસર્ગની ક્રિયાવડે તેઓને પોતાને જ જુગુપ્સા થાય છે ? કે તેઓની આ ક્રિયા જોઈને કોઈ અન્યને જુગુપ્સા થાય છે ? તે ભગવાનને જ આ ક્રિયા કરતી વખતે જુગુપ્સા થાય છે એમ કહો તો તે સત્ય નથી કારણ કે કેવલી અવસ્થામાં વર્તતા આ ભગવાન્ નિર્મોહી હોવાથી તેઓમાં જુગુપ્સા જ સંભવતી નથી. હવે તેઓની આ ક્રિયા જોઈને અન્યને જુગુપ્સા થાય એમ બીજો પક્ષ જો કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે જ્યારે મનુષ્યો-દાનવો, દેવો, તેઓના ઈન્દ્રો, હજારોની સંખ્યામાં તેઓની રમણીઓ, ઇત્યાદિ જીવોથી ભરપૂર ભરેલી સભામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy