SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞમાં કવલાહારના વિરોધનો પરિહાર હોતાં નથી તો શું વિરોધ પામે ? હવે જો ઈતર એવા સામાન્ય કેવલજ્ઞાનીઓમાં તે પાત્રનો સર્વજ્ઞતાની સાથે વિરોધ કહો તો અમે તમને પુછીએ છીએ કે શું તે પાત્રો સ્વરૂપમાત્રથી જ તે સર્વજ્ઞતાના વિરોધને ધારણ કરે છે ? કે પાત્રો ઉપરની મમતાના કારણે પાત્રો સર્વજ્ઞતાના વિરોધને ધારણ કરે છે ? જો આદિમ (પહેલો) પક્ષ કહો તો, એટલે કે સ્વરૂપમાત્રથી જ પાત્રો સર્વજ્ઞતાનાં વિરોધી છે એમ જો કહો તો આ તમારો પક્ષ હમણાં જ કહેલા પક્ષના ખંડનવડે જ ક્ષીણ થઈ જાય છે. અર્થાત્ આપણા લોકોમાં જ્ઞાનની સાથે પાત્રોનો વિરોધ નથી તો કેવલીમાં રહેલા મહાજ્ઞાનની સાથે પણ પાત્રોનો વિરોધ ન જ હોય, અને જો કેવલીમાં જ્ઞાનની સાથે (મહાજ્ઞાનની સાથે) પાત્રો વિરોધ પામે તો અમારા તમારા જ્ઞાનની સાથે પણ (અલ્પજ્ઞાનની સાથે પણ) પાત્રો વિરોધ પામે જ. જેમ અંધકાર સૂર્યની સાથે જો વિરોધ પામે તો પ્રદીપાલોક સાથે પણ વિરોધ પામે જ. એમ ઉપર જણાવેલ આહારના ખંડનની જેમ જ સમજવું. ૪ ૨૭ જો બીજો પક્ષ કહો તો તે ઉચિત નથી. તે કેવલીઓ નિર્મોહી હોવાથી તેવા પ્રકારના પાત્રોને વિષે મમકાર હોતો નથી. તથા પાગાદિ (પૌદ્ગલિક) વસ્તુઓ હોતે છતે આ મમકાર પણ અવશ્ય હોય જ એવો નિયમ પણ નથી. કારણ કે જો આવો નિયમ કરીએ તો કેવલીમાં શરીર (પૌદ્ગલિક) છે. માટે તે શરીર હોતે છતે પણ તે મમકાર સ્વીકારવો જ પડશે. કારણ કે ઈતર લોકોમાં (છદ્મસ્થ લોકોમાં) પાત્રાદિ અને શરીર, આ બન્ને વસ્તુઓ હોતે છતે બન્ને ઉપર મમકાર હોય છે. તેથી જો ઈતર લોકોની જેમ પાત્ર રાખીશું તો મમતા આવશે એવા ભયથી પાત્ર ન સ્વીકારાય તો ઈતરલોકોની જેમ શરીર રાખીશું તો તેમાં પણ મમતા આવશે જ. કારણ કે આમ જનતામાં મમતા ઉભયમાં પણ દેખાય છે. તેથી કેવલીએ શરીર પણ ત્યજી દેવું જોઈએ. હવે જો એમ કહો કે આ ભગવાન્ કેવલી-સર્વજ્ઞ અને નિર્મોહી હોવાથી શરીર હોવા છતાં આમજનતાની જેમ તેઓને શરીરની મમતા નથી, તો એ જ ન્યાયે આ ભગવાનને પાત્રો હોવા છતાં પણ નિર્મોહી હોવાથી આમજનતાની જેમ મમતા હોતી નથી એમ માનવામાં શું દોષ આવે છે ? હવે ત્રીજો પક્ષ ઔદારિક શરીર પણ તે સર્વજ્ઞતાની સાથે વિરોધને ભજતું નથી. કારણ કે જો શરીર સર્વશતાની સાથે વિરોધવાળું હોય તો કેવલજ્ઞાનની ઉત્પત્તિ થતાંની સાથે જ આ ઔદારિક શરીરનો અભાવ થવો જોઈએ, પરંતુ થતો નથી. તેરમા ગુણઠાણે કેવલી ભગવાન્ સશરીરીપણે દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી વિચરે છે. શરીર નામકર્માદિનો ઉદય પણ છે.માટે બાહ્ય કવલાહારનું કોઈ કારણ સર્વજ્ઞતાની સાથે વિરોધવાળું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy