SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૫૫ चाऽस्याऽऽकाशसामान्यायेतादृग्वस्तुसमाश्रितत्वमेव भवेद्, न तु कार्यवस्तुसमाश्रितत्वम् । तत्तत्सहकारिकारणकलापोपनिपातप्रभावात् कार्यसमवायस्वीकारोऽपि सनिकारः, तत्स्वभावप्रभावप्रतिबद्धानां तेषामपि सदा सन्निधानप्रधानत्वात् । तथा चास्तमिता समवायिकारण-किंवदन्ति । तदसत्त्वे किमसमवायिकारणम् ? समवायिकारणप्रत्यासन्नत्वं हि तल्लक्षणम् । तदसत्त्वे कथमेतत् स्यात् ? तथा च तच्छेषभूतस्य निमित्तकारणस्यापि का व्यवस्था ?॥ (૨) હવે હે નૈયાયિક? જો તમે માવવિત્નક્ષUસીમ સમુFાદવં “આવા પ્રકારનો બીજો હેતુ કહો તો તે હેતુ તમસુ અને છાયાને અભાવાત્મકપણે સિધ્ધ કરી શકતો નથી. તેની ચર્ચા હવે આપણે કરીએ. નૈયાયિક = ઘટ-પટ આદિ જે જે ભાવાત્મક પદાર્થો છે. તેને ઉત્પન્ન કરનારી મૃત્પિડતતુ આદિ સમવાયીકારણરૂપ સામગ્રી હોય છે. કપાલસંયોગ અને તનુસંયોગ રૂપ અસમવાયીકારણરૂપ સામગ્રી હોય છે. તથા દંડ-તુરીવેમાદિરૂપ નિમિત્તકારણરૂપ સામગ્રી હોય છે. આ પ્રમાણે સમવાયીકારણ, અસમવાયીકારણ, અને નિમિત્તકારણોના સમુહના વ્યાપારાત્મક જે સામગ્રી છે તે ભાવાત્મક કાર્યની ઉત્પાદિકા સામગ્રી છે. અંધકારમાં આ સામગ્રી હોતી નથી. તમસુને ઉત્પન્ન કરનાર સમવાયી અસમવાયી કે નિમિત્ત કારણાત્મક સામગ્રી નથી. તેથી ભાવાત્મક કાર્ય કરતાં વિલક્ષણ સામગ્રીવડે ઉત્પન્ન થવાપણું તમસમાં છે. એ જ તમસુને અભાવાત્મકપણે સિધ્ધ કરે છે. જૈન = હે નૈયાયિક ! તારી આ વાત પ્રશંસનીય નથી. અર્થાતુ યુક્તિયુક્ત નથી. કારણ કે “સમવાયીકારણ” આવા પ્રકારના નામવડે તું કઈ વસ્તુ સ્વીકારે છે ? એવો કયો પદાર્થ છે કે જેને તું સમવાયીકારણ શબ્દથી માને છે ? નૈયાયિક - જ્યાં સમવાયસંબંધથી વર્તતું એવું કાર્ય ઉત્પન્ન થાય છે તે સમવાયિકારણ કહેવાય છે. એવું અમે કહીશું. જેમ મૃત્પિડમાં સમવાયસંબંધથી વિદ્યમાન એવો ઘટ ઉત્પન્ન થાય છે તથા તખ્તમાં સમવાય સંબંધથી વિદ્યમાન એવો પટ ઉત્પન્ન થાય છે માટે મૃત્પિડ અને તતુ સમવાયીકારણ અમે કહીશું. આ સમવાયી કારણની સિધ્ધિમાં “રૂદ રૂમ તિ" એવા પ્રકારનો પ્રત્યય (એવા પ્રકારનું જ્ઞાન) અમે કારણ માનીશું. જ્યાં જ્યાં ફમતિ” આવું જ્ઞાન થાય છે ત્યાં સમવાયસંબંધ હોવાથી તે તે વસ્તુના ઉત્પાદકને સમવાયીકારણ માનીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy