SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા વિશેષણતા અને સંયુકતસમવેતવિશેષ્યતાસન્નિકર્ષ થાય છે. જેમ કે નીતિfહતોળ્યું પતy: = ગુણો સદા નિર્ગુણ હોય છે. તેથી આ દેખાતો પીતગુણ તે નીલાદિ ઈતરગુણોના અભાવવાળો છે. અહીં ચક્ષુથી સંયુક્ત ઘટ, તેમાં સમવેત પતગુણ, અને તેની વિશેષણતા નીલાદિઈતરગુણના અભાવમાં વર્તે છે. એવી જ રીતે પરત્વમાવવત્ રૂટું મૂત«ત્વમ્ ઇત્યાદિ દષ્ટાન્ત સમજવાં. - તથા અભાવનું અધિકરણ જો દ્રવ્યમાં રહેનારા જે ગુણો, અને તે ગુણોમાં રહેનારી જે જાતિ, તે થતી હોય તો ચક્ષુસંયુક્ત સમવેતસમવેતવિશેષણતાસગ્નિકર્ષ કહેવાય છે. જેમ કે નીતત્વમાવવ૬ રૂ પીતત્વમ્ ઇત્યાદિ ન્યાયશાસ્ત્રથી જાણી લેવું. એટલે નૈયાયિકો કહે છે કે અમે અંધકાર જે અભાવાત્મક છે તેનું જ્ઞાન વિશેષણવિશેષ્યભાવ નામના સન્નિકર્ષથી કરીશું. જેથી અમને તમારો આપેલો દોષ આવશે નહીં. જૈન :- : = આ અભાવાત્મક માનેલો અંધકાર તમી = કયા પદાર્થનું તમે વિશેષણ કરશો? જેમ ભૂતલ ઉપર ઘટાભાવ જાણવો હોય તો ઘટમાવવત્ રૂટું ભૂતત્રમ્ માં ઘટાભાવ એ ભૂતલનું વિશેષણ થાય છે અને તેથી વિશેષણવિશેષ્યભાવસગ્નિકર્ષ તમે ઘટાવો છો. તેમ અહીં તમે અભાવાત્મક એવા અંધકારને કયા પદાર્થનું વિશેષણ બનાવશો? (૧) જો શરીરનું વિશેષણ બનાવવાનું કહેશો તો તે તમારો ઉત્તર ઉચિત નથી. કારણ કે જેમ ઘટાભાવ એ ભૂતલનું વિશેષણ હોવાથી ભૂતલ ઉપર ઘટાભાવ જણાય છે. તેમ આ અંધકાર શરીરનું વિશેષણ જો કરો તો શરીરમાં પ્રકાશના અભાવાત્મક અંધકારનું જ્ઞાન થવું જોઈએ, પરંતુ તે તમસુ તો શરીરથી અન્યત્ર પણ સર્વત્ર જણાય છે માટે શરીરનું વિશેષણ ઉચિત નથી. (૨) ભૂતલ, અથવા કળશાદિ (વટાદિ), અથવા કુડડ્યાદિ (દીવાલ આદિ)નું જો તે અંધકાર વિશેષણ બનાવો તો પણ તે ઉચિત નથી. કારણ કે ભૂતલનું વિશેષણ બનાવો તો તે અંધકાર ભૂતલમાં જ દેખાવો જોઈએ પરંતુ અન્યત્ર આકાશાદિમાં પણ દેખાય છે. ઘટાદિનું વિશેષણ બનાવો તો ઘટાદિથી અન્યત્ર પણ જણાય છે. દીવાલ આદિનું વિશેષણ બનાવો તો દિવાલ વિના આકાશાદિમાં પણ જણાય છે. માટે “તતઃ ઈવ' તે જ કારણથી અર્થાત્ તમે જેનું વિશેષણ બનાવો તેનાથી અન્યત્ર પ્રતિભાસ થવારૂપ તે જ હેતુથી આ તમારો ઉત્તર ઉચિત નથી. (૩) હવે તમે તૈયાયિકો કદાચ એમ કહો કે તો સર્વત્ર આકાશમાં અંધકાર દેખાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy