SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ અવગ્રહાદિ કથંચિત્ ભિન્નભિન્ન છે ૩ ૩૫ प्रकाशकाः क्रमभाविनो वा, ते परस्परं व्यतिरिच्यन्ते. यथा स्तम्भादयः, अनुमानादयः, अङ्कर-कन्दल-काण्डादयो वा, तथा चैत इति ॥२-१३॥ તર્કશાસ્ત્રના અનુસાર આ દર્શનાદિ પર્યાયો ભિન્ન ભિન્ન છે. તેના અનુમાનના પ્રયોગો આ પ્રમાણે છે જે જે ભાવો અસંકીર્ણસ્વભાવપણે અનુભવાય છે. તથા અપૂર્વ અપૂર્વ વસ્તુના પર્યાયને જણાવનારા છે. અથવા ક્રમવર્તી છે તે તે ભાવો પરસ્પર ભિન્ન હોય છે. જેમ કે સ્તંભ-ઘટ-પટ વિગેરે, અથવા અનુમાન-ઉપમાન આગમ વિગેરે, અથવા અંકુર (ફણગો), કિંદલ (થડ) કાષ્ઠ (શાખા) વિગેરે. તે જે દષ્ટાન્તો જણાવ્યાં, તેની જેમ જ આ દર્શનાદિ પાંચ જ્ઞાનપર્યાયો છે. માટે ભિન્ન છે. (૧) પ્રથમ અનુમાન - તે તર્જના, પરસ્પરં તિરિવ્યને, મહૂિર્વમાવતડગુમવાન્ યથા તામયિ: આ દર્શનાદિ પાંચ પર્યાયો, પરસ્પર ભિન્ન છે. અસંકીર્ણસ્વભાવે અનુભવાય છે. માટે. ખંભાદિની જેમ, જે જે અસંકીર્ણ સ્વભાવે અનુભવાતા હોય છે તે તે પરસ્પર ભિન્ન હોય છે જેમ કે સ્તંભ-ઘટ-પટ. તેની જેમ આ દર્શન-અવગ્રહ-ઈહા-અપાય-ધારણા પણ અસંકીર્ણપણે અનુભવાય છે માટે ભિન્ન ભિન્ન છે. અહીં કોઈને એમ પ્રશ્ન થાય કે દર્શનાદિ આ પાંચે અસંકીર્ણપણે અનુભવાય છે તેની શું ખાત્રી? તો અસંકીર્ણસ્વભાવતા સિધ્ધ કરવા માટે “સાચે ઉત્પત્તિજ્વત્િ” હેતુ બતાવ્યો છે. એટલે કે અસમસ્તપણે કયારેક ૧, ક્યારેક ૨, ક્યારેક ૩ ઇત્યાદિ અનિયત સંખ્યાપણે ઉત્પત્તિ હોવાથી અસંકીર્ણસ્વભાવતા અનુભવાય છે. (૨) બીજુ અનુમાન - વર્ણના, પરસ્થ વ્યક્તિચિત્તે, પૂર્વાપૂર્વવસ્તુપર્યાયપ્રવાત્વી , યથા-અનુમાનાય , આ દર્શનાદિ પાંચે પર્યાયો પરસ્પર ભિન્ન છે. કારણ કે દર્શન કરતાં અવગ્રહ, અને અવગ્રહ કરતાં ઈહા, અને ઈહા કરતાં અપાય, એમ દરેક જ્ઞાનપર્યાયો વસ્તુના અપૂર્વ અપૂર્વ પર્યાયને જણાવનારા છે. જેમ અનુમાનાદિ પ્રમાણો. જે જે ભાવો અપૂર્વ અપૂર્વ અર્થના પ્રકાશક હોય છે તે તે ભાવો પરસ્પર ભિન્ન હોય છે. જેમ કે અનુમાન સાધ્ય-સાધનને જણાવે છે. ઉપમાન સાદેશ્યને જણાવે છે અને શબ્દપ્રમાણ વાક્યર્થનો બોધ કરાવે છે તેથી તે જેમ ભિન્ન ભિન્ન છે તેમ આ દર્શનાદિ પણ ભિન્ન ભિન્ન છે. (૩) ત્રીજુ અનુમાન - તે તનાવય , પરસ્પર વ્યતિરિવ્યન્ત, મમાવિત્રી, યથ મચ્છુ-ન્દ્ર- g: . આ દર્શનાદિ પાંચે પર્યાયો પરસ્પર ભિન્ન છે. એક પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy