SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨ ૭ ૧ માનેલું છે. તેથી અમારી જેનોની પાર્થિવપણાની આ વાત તેઓના આગમ સાથે બાધિત થશે, અને જે હેતુ બાધિતહેવાભાસ થતો હોય તે સાધ્ય સાધી શકે નહી, “થશે સાધ્યમવઃ પ્રHTTૉરેન સાધ્યતે : બાધિત:” જે હેતુના સાધ્યનો અભાવ પ્રમાણાતરવડે સિધ્ધ થતો હોય તે મૂળહેતુ બાધિતહેત્વાભાસ કહેવાય છે. અહીં સુવર્ણાદિમાં પાર્થિવ નામના સાધ્યનો અભાવ તૈજસત્વ, પ્રમાણાન્તર એવા આગમવડે સાબિત કરાય છે માટે “મારોત્પત્તિમત્વ" હેતુ બાધિતહેવાભાસ થશે અને તેથી પાર્થિવ સાધ્યની સિધ્ધિ થશે નહીં. આવા પ્રકારનું જો નૈયાયિક કદાચ કહે તો અમે જૈનો ઉત્તર આપીએ છીએ કે તે તમારૂં આગમપ્રમાણ મા = અમને જેનોને સિધ્ધ નથી, નિર્દોષ તરીકે સ્વીકાર્ય નથી. વાદી-પ્રતિવાદી એમ બન્નેને માન્ય એવું જે પ્રમાણ તે જ પ્રમાણ કહેવાય છે. તમારી આ વાતમાં રજુ કરાયેલું આ આગમપ્રમાણ તો માત્ર પ્રતિવાદી એવા તૈયાયિકોને જ માન્ય છે. પરંતુ વાદી એવા જૈનોને માન્ય નથી. માટે અન્યતરાસિધ્ધ હેત્વાભાસ થવાથી નૈયાયિકની વાત ઉચિત નથી. જેમ માટી-લોખંડ ખાણમાંથી ઉત્પન્ન થાય છે માટે પાર્થિવ છે તે જ પ્રમાણે સુવર્ણ પણ ખાણમાંથી જ ઉત્પન્ન થાય છે માટે પાર્થિવ જ છે. વળી અગ્નિ-વિદ્યુતું આદિ જે જે તેજસ છે તે તે દાહાત્મકધર્મવાળાં છે. સુવર્ણ દાહાત્મકધર્મ વાળું નથી. માટે પણ તૈજસ નથી પરંતુ પાર્થિવ છે. તેથી સુવર્ણને તૈજસ કહેનારૂં તમારૂં શાસ્ત્ર અમોને માન્ય નથી. માટે અમારો જૈનોનો હેતુ આગમબાધિત હેત્વાભાસ થતો નથી. ૧લા ___ अञ्जनं मरीच-रोचनादिकं, पार्थिवं ननु तवाऽपि सम्मतम् । अञ्जनेऽपि तदसौ प्रवृत्तिमानप्रयोजकविडम्बडम्बरी ॥२०॥ પરીવ-નાતિ = મરીચ-દાડમ અને લીંબડાદિના રસથી બનાવેલું એવું, અને = અંજન, પવુિં = પાર્થિવ છે. એવું, નવું = ખરેખર, તવાપિ = હે તૈયાયિક ! તને પણ, સમ્પતિ = માન્ય છે. ત = તેથી ૩ = આ હેતુ (વ્યત્વે સતિ સ્પર્ચવ વી ), અનેfપ = અંજનમાં પણ, પ્રવૃત્તિમાન = પ્રવર્તે જ છે અને અંજન તૈજસ નથી જ, તેથી હેતુ સાધ્યાભાવમાં જવાથી પ્રથોન = અપ્રયોજકતાની (સાધ્યને સાધવાના અસામર્થ્યની) વિશ્વ = વિડંબનાના, દુમ્બરી = આડંબરવાળો છે. અપ્રયોજકતાની પીડાથી યુક્ત છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે મરી-લીંબડો અને દાડમ આદિના રસથી બનાવેલું અંજન પ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy