SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬ ) દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા (૨) ચક્ષુ અને શ્રોત્ર આ બે ઇન્દ્રિયોને છોડીને તેનાથી ઈતર એવી શેષ ત્રણ ઇન્દ્રિયો તથા = તેવી છે અર્થાત્ પ્રાપ્યકારી છે એ પ્રમાણે તાથાગત = બૌધ્ધદર્શનકારો માને છે. (૩) ચક્ષુ વર્જીને શેષ ચાર ઇન્દ્રિયો તથા = તેવી છે એટલે કે પ્રાપ્યકારી છે એમ સ્યાદ્વાદને જાણવાથી નિર્મળ બન્યું છે હૃદય જેનું એવા જૈનદર્શનકારો કહે છે. આ ત્રણ મતોની અહીં ચર્ચા કરવામાં આવે છે. આ ત્રણે પક્ષોની સ્થાપનામાં મનનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ મનને પણ વૈશેષિકાદિ દર્શનકારો પ્રાપ્યકારી માને છે અને જૈનદર્શનકારો અપ્રાપ્યકારી માને છે તે પણ સ્વયં સમજી લેવું. તેની ચર્ચા કરતાં ટીકાકારશ્રી જાણે જ્ઞાનાનંદમાં એકાગ્ર બની ગયા હોય તેમ કેલિ કરતા કરતા શ્લોકબધ્ધ રીતે આ ચર્ચા કરે છે. વળી શ્લોકો પણ ભિન્ન ભિન્ન છન્દોના બનાવે છે, ઉપમાઓ અને ઉભેક્ષાઓ પણ મનને મોહ પમાડે તેવી કહ્યું છે તેથી જાણે વાદીઓની સાથે વાદાત્મક યુદ્ધની કેલિ કરતા હોય તેમ ચર્ચા આલેખે છે - तत्र प्रथमे प्रमाणयन्ति - चक्षुः प्राप्य मतिं करोति विषये बाह्येन्द्रियत्वादितो, यद् बाह्येन्द्रियताऽऽदिना परिगतं तत् प्राप्यकारीक्षितम् । जिह्वावत् प्रकृतं तथा च विदितं तस्मात्तथा स्थीयताम्, नाऽत्राऽसिद्धिमुखश्च दूषणकणस्तल्लक्षणाऽनीक्षणात् ॥१॥ ત્યાં આ ચર્ચામાં પ્રથમપક્ષરૂપે રજુ કરેલા વૈશેષિક-નૈયાયિક-મીમાંસક અને સાંખ્યો આ પ્રમાણે જણાવે છે કે – ચક્ષુઃ બાોન્દ્રિયરૂપ હોવાથી (અને આદિ શબ્દથી તૈજસાંદિરૂપ હોવાથી) વિષયની સાથે સદા પ્રાપ્ત થઈને જ જ્ઞાન ઉત્પન્ન કરે છે. જે જે પદાર્થો બાોન્દ્રિયવાદિ ધર્મોથી પરિગત (વ્યાપ્ત) હોય છે તે તે પદાર્થો પ્રાપ્યકારીરૂપે જ જોયેલા છે. જેમ કે જિવા ઇન્દ્રિય. પ્રસ્તુત એવી ચક્ષુઃ પણ તેવી જ છે. એમ વિદિત છે. તેથી ચક્ષુ તેવી જ (પ્રાપ્યકારી) જ નક્કી થાય છે. અમારા આ અનુમાનમાં અસિધ્ધહેત્વાભાસપ્રમુખ દોષોના કણો સંભવતા નથી. કારણ કે તે દોષોનાં લક્ષણો અહીં દેખાતાં નથી. વક્ષ: (પક્ષ), પ્રાપ્તિ કરોતિ (સાધ્ય), વયિદ્વિત્થાત્ (હેતુ), યદ્ ય વાઘોયિત્વાદ્રિ પરમાતું, તત્તત્ પ્રણારિ, ઇતિ - અન્વયવ્યાપ્તિ, યથા નિવા અન્વયદેષ્ટાનત, પ્રવૃત્તિ તથા પતિ = પ્રસ્તુત ચક્ષુ: પણ તેવા ધર્મથી (બાલ્વેન્દ્રિયાદિધર્મથી) વ્યાપ્ત છે આ ઉપાય છે. તસ્માથા થીયતામ્ = તેથી (બાલ્વેન્દ્રિય હોવાથી) તેમ હો = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy