SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨૧ રત્નાકરાવતારિકા એકસત્તાનીય કે ભિન્નસંતાનીય પરંતુ એકજાતીયવિજ્ઞાન પૂર્વના પ્રવર્તકશાનની પ્રમાણતાને જણાવનાર છે, એમ જ કહેશો તો એટલે કે એકની એક વ્યક્તિમાં થનારું, અથવા ભિન્ન ભિન્ન વ્યક્તિમાં થનારું પરંતુ એકના એક જ વિષયવાળું એવું સંવાદિજ્ઞાન પૂર્વના પ્રવર્તક જ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય કરાવે છે એમ ઉપરોક્ત ચિત્રમાંનો પહેલો અને ત્રીજો જે પક્ષ છે. તે જો કહો તો - (તરતરત્ર) અતિશય ચંચળ, (તુક્ક) ઉંચા ઉંચા, (ત=) ઉછળતા એવા, (તક) પાણીના તરંગોવાળી, (તરી ) નદીના, (તોયજ્ઞાન= ) પાણીનું પાછળથી થનારૂં સંવાદિજ્ઞાન પણ પૂર્વે થયેલાં (મ) મારવાડ દેશની, (વસુન્ધરા= ) ભૂમિ ઉપર, (વારિક) ફેલાતા (ચતુરતરત્ર) અતિશય પ્રચંડ એવા (તરિ= ) સૂર્યનાં (શિરાત્રિ ) કિરણોની પંક્તિના (ફિક) સંગવાળા, (સન્નિત્નસંઘેનક) પાણીના જ્ઞાનની પ્રમાણતાને જણાવનાર બનવું જોઈએ. સાર એ છે કે પ્રથમ મારવાડની ભૂમિ ઉપર પ્રચંડસૂર્યકિરણોથી “ઝાંઝવાના જળનું' જ્ઞાન થયું. આ પ્રવર્તકજ્ઞાન થયું કે જે અપ્રમાણ-મિથ્યા છે. ત્યારબાદ ઉછળતા તરંગોવાળી. નદીનું યથાર્થ જળશાન થયું કે જે સંવાદિજ્ઞાન છે. આ બન્ને જ્ઞાનો એકના એક જળના વિષયનાં હોવાથી એકજાતીય છે. તેથી ભલે તેના તે જ પુરૂષને થયાં હોય કે અન્ય-અન્ય પુરૂષને થયાં હોય તો પણ પાછળલું નદીના જળનું સંવાદિજ્ઞાન પૂર્વના ઝાંઝવાના જળના પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા કરનાર બનવું જોઈએ, પરંતુ બનતું નથી. માટે આ બન્ને પક્ષો વ્યાજબી નથી. હવે જો એકસત્તાનીય અને ભિન્નસંતાનીય એવું પરંતુ ભિન્નજાતીય એવું જ્ઞાન પૂર્વના પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા જણાવનારૂં બને એમ ચિત્રમાંના બે અને ચાર નંબરના પક્ષો કહો તો - પ્રથમ મારવાડની ભૂમિમાં ઝાંઝવાના જળનું જ્ઞાન થયું કે જે પ્રવર્તકજ્ઞાન કહેવાય અને મિથ્યાજ્ઞાન છે. ત્યારબાદ કુંભનું (ઘટપટનું) અથવા અંભોરુહાદિ (કમળ આદિ) ઈતર પદાર્થોનું યથાર્થજ્ઞાન થયું કે જે જ્ઞાન સંવાદિજ્ઞાન છે. તે ઘટ-પટ-અંભોરુહાદિનું યથાર્થ સંવાદિજ્ઞાન પણ પૂર્વે થયેલા મારવાડની ભૂમિમાં ઝાંઝવાના જળના જ્ઞાનનું સંપાદક બનવું જોઈએ. કારણ કે બન્ને જ્ઞાનનો વિષય ભિન્ન ભિન્ન જાતીય છે. માટે ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચાયક બનવો જોઈએ. પરંતુ સંવાદ્રમ્ = ઉત્તરજ્ઞાન એકજાતીય હોય કે ભિન્નજાતીય હોય પરંતુ સંવાદક બનતું નથી. ત ન જ્ઞHવપિ તદ્ પરત: = તેથી તે જ્ઞાનની પ્રમાણતા કે અપ્રમાણતાની જ્ઞપ્તિ પણ પરથી થતી નથી જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy