SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં નૈયાયિકની સાથે ચર્ચા ઈશ્વરનો, અમે સ્વીકાર કરેલો જ છે. નિર્દોષ કેવળજ્ઞાનવાળા અને લોકોત્તર એવા ઈશ્વરને (પરમાત્માને) અમે જૈનો માનીએ જ છીએ. ફક્ત (ત્રિવિષ્ટપ=) ત્રણ જગતની, (ઘટન=) રચના કરવામાં, (હ્રમ્પેટપટિન:=) અતિશય આસક્ત પટુતાવાળા, અને સર્વ વસ્તુઓને જોવાની કુશલતાવાળા એવા ઈશ્વરને તમે જે માનો છો તે જ ઈશ્વરનું ખંડન અમને જૈનોને ઇષ્ટ છે. જગની રચના કરતા હોય અને સર્વજ્ઞ હોય એવા જ ઈશ્વર અમને અમાન્ય છે. પરંતુ જગતના અકર્તા હોય અને સર્વજ્ઞ હોય એવા ઈશ્વર અમને જૈનોને ઈષ્ટ છે. તથા વળી હે નૈયાયિકો ! તમે તમારા અનુમાનમાં જે હેતુ રજુ કર્યો છે, તેમાં જે વિશેષ્યપદ છે, તે વ્યર્થ-નિરર્થક છે. એટલે વ્યર્થવિશેષ્યવાળો હેતુ આ અનુમાનમાં છે. કારણ કે તમારે જે સાધ્ય સાધવું છે, તે સાધ્ય સાધવા માટે એકલું વિશેષણ જ પુરતું છે - તમારૂં અનુમાન આ પ્રમાણે છે. જ્ઞાનં, સ્વામ્યપ્રાયમ્, ફૈશ્વરજ્ઞાનાખ્યત્વે સતિ પ્રમેયાત્ ધવત્ । અહીં ‘‘શ્વરજ્ઞાનાખ્યત્વે કૃતિ’” આ પદ વિશેષણ છે, અને પ્રમેયાત્ એ પદ વિશેષ્ય છે. આ અનુમાનમાં સમર્થ એવું એકલું વિશેષણ જે “શ્ર્વજ્ઞાનાચત્તાત્'', છે. તેનું જ જો ઉપાદાન કરશો, તો તેના વડે જ સાધ્યની સિધ્ધિ થઈ જાય છે. તો હેતુમાં ‘‘પ્રમેયત્વાત્’” અધિક પદ મુકવાની જરૂર શું ? જેમ “પર્વત:, વદ્ઘિમાન્, ધૂમાć, મહાનશવત્, આ અનુમાનમાં ધૂમધ્વજ (વર્તિ)ની સિધ્ધિ કરવામાં ધૂમવત્ત્વ સતિ એટલો હેતુ પુરતો હોવા છતાં ‘ધૂમવ સત્તિ દ્રવ્યત્વાત્' આવો બે પદવાળો હેતુ કહેવાય તો ક્યાંય પણ અતિવ્યાપ્તિ આવતી ન હોવા છતાં નિરર્થક વધારે પદનો પ્રયોગ એ હેતુને હેત્વાભાસ બનાવે છે તેની જેમ અહીં એવી કોઈ વસ્તુ ઈશ્વરીયજ્ઞાનથી અન્ય હોય અને સ્વયં સંવેદિત હોય છતાં અપ્રમેય હોય તો તો તે અપ્રમેયમાં આવતા વ્યભિચારને રોકવા માટે “પ્રમેયત્વાત્” એવા વિશેષ્યની આવશ્યકતા રહે, પરંતુ સ્વયં સંવેદિત ઈશ્વરીયજ્ઞાનથી અન્ય અને અપ્રમેય એવી કોઈ વસ્તુ છે જ નહી કે જેના અપોહ માટે ‘‘પ્રમેયત્વાત્’’ પદ મુકવું પડે, માટે વ્યર્થવિશેષ્યરૂપ હેત્વાભાસ છે. ૧૯૩ Jain Education International अप्रयोजकश्चायं हेतुः, सोपाधिकत्वात्, साधनाव्यापकः साध्येन समव्याप्तिकः खलूपाधिरभिधीयते तत्पुत्रत्वादिना श्यामत्वे साध्ये शाकाद्याहारपरिणामवत् । कः પુનસ્માધિરત્ર સૂક્ષ્મક્ષîરીક્ષાૠ? વૃત્તિ ચેત્ - ૩ચ્યતે - નિવિઙજ્ઞડિમન્ ! નહિમતક્ષળઃ । तथाहि - ईश्वरज्ञानान्यत्वे प्रमेयत्वे सत्यपि यदेव जडिमपात्रं पात्रादि तदेव स्वस्मादन्येनैव प्रकाश्यते । स्वप्रकाशे परमुखोत्प्रेक्षित्वं हि जडस्य लक्षणम् । न च ज्ञानं जडस्वरूपम् - इति सिद्धं साधनाव्यापकत्वं जाड्यस्य । साध्येन समव्याप्तिकत्वं चास्य स्पष्टमेव, जाड्यं विहाय स्वप्रकाशाभावस्य तं च त्यक्त्वा जाड्यस्य क्वचिदप्यदर्शनादिति ॥ 2 For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy