SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા હવે ‘તવુપમવંત્વ’ એ બીજો પક્ષ જો કહો તો એટલે કે પ્રથમ ‘શુક્તિમાં રજતજ્ઞાન થયું” ત્યારબાદ તેનો ઉપમર્દ કરીને કાળાન્તરે “યં શુક્ત્તિરેવ” શુક્તિ જ છે એવું સમ્યક્ ઉત્તરજ્ઞાન ઉત્પન્ન થયું. હવે આ ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનનું ઉપમર્ધક હોવાથી પૂર્વજ્ઞાનની વિપરીતતાને જણાવતું હોય તો પ્રથમ પટમાં પટજ્ઞાન થયું. જે યથાર્થ જ્ઞાન છે. ત્યારબાદ કાળાન્તરે તે જ્ઞાનનું ઉપમર્દન કરીને ઘટમાં ઘટનું જ્ઞાન પ્રવસ્યું. હવે ઉત્તરકાળમાં પ્રવર્તેલું ઘટજ્ઞાન પૂર્વકાલીન પટજ્ઞાનનું બાધક થવું જોઈએ. કારણ કે તસ્યાપિ તે ઉત્તરકાલીન ઘટજ્ઞાન, તત્ તે પૂર્વકાલીન પટજ્ઞાનનું પર્રેન =ઉપમર્દન કરવાવડે જ ઉત્પાવાત્ = ઉત્પન્ન થયું છે. માટે ઉત્તરકાલીન ઘટજ્ઞાન પૂર્વકાલીન પટજ્ઞાનનું બાધક થવું જોઈએ. પરંતુ થતું નથી માટે તમારો આ પક્ષ પણ યુક્તિસંગત નથી. = = હવે ત્રીજો પક્ષ કહો તો તે પણ પક્ષ ઉચિત નથી. કારણ કે તસ્ય તે પૂર્વજ્ઞાનની प्रवृत्तिः પ્રવૃત્તિ, તેન તે ઉત્તરજ્ઞાનવડે હણવાને શક્ય નથી કારણ કે તે પૂર્વજ્ઞાન પૂર્વકાલીન હતું, ત્યારે ઉત્તરશાન હતું નહિ. તેથી તે પૂર્વકાલીન જ્ઞાન યથાયોગ્ય જે કોઈ પોતાનો વિષય હોય તે વિષયને ગોચર કરવામાં ઉત્તરજ્ઞાન આવ્યા પૂર્વે જ પ્રવૃત્ત થઈ ચુક્યું જ છે. ૧૨૨ = ચોથો પક્ષ પણ ઉચિત નથી. કારણ કે જ્યારે પૂર્વજ્ઞાન પોતાના વિષયમાં પ્રવર્તે છે ત્યારે તેનો પ્રતિબંધ કરનારુ ઉત્તરજ્ઞાન હજુ ઉત્પન્ન થયેલ ન હોવાથી આ પૂર્વજ્ઞાન સ્વવિષયમાં પ્રવર્તતાંની સાથે જ ઉપાદેયવસ્તુઓમાં ઉપાદાન બુધ્ધિ, અને આવિ શબ્દથી હેયવસ્તુઓમાં હેયબુધ્ધિ, તથા જ્ઞેયવસ્તુઓમાં શેયબુદ્ધિરૂપ જ્ઞાનનું જે ફળ છે. તે ફળ તે જ વખતે પ્રાપ્ત કરાવનાર થઈ જ જાય છે. અર્થાત્ તત્ત્વ = તે પૂર્વજ્ઞાનની તોત્પત્તિ: (ઉપાદાનાદિ બુધ્ધિરૂપ) ફળોત્પત્તિ પણ તે ઉત્તરજ્ઞાનવડે પ્રતિહન્દુ પ્રતિઘાત કરવાને 7 પાર્વત સમર્થ થવાનું નથી. (ચિત્રમાંના ૧૩ થી ૧૬ પક્ષોના આ જવાબો = 1 છે.) Jain Education International किञ्च તથા વળી “શુક્તિમાં થતું રજતનું ભાન” જેને તમે જૈનો વિપરીતખ્યાતિ કહો છો ત્યાં હું તમને પૂછું છું કે તે શુક્તિમાં ‘‘અસત્’’ અવિદ્યમાન એવું રજત પ્રતિભાસિત થાય છે કે ત્ વિદ્યમાન એવું રજત પ્રતિભાસિત થાય છે ? જો ‘અસત્’ એવું રજત તે શુક્તિમાં પ્રતિભાસિત થતું હોય, એટલે કે શુક્તિમાં રજત નથી અને રજત જણાય છે એમ જો કહો તો તે “અસખ્યાતિ' થઈ કહેવાય વિપરીતખ્યાતિ થઈ કહેવાય નહિ, કારણ કે જે રજત અસત્ છે. તે જણાય છે. એટલે ‘અસત્’નું ભાન થતું હોવાથી તેને અસખ્યાતિ જ કહેવી જોઈએ. હવે શુક્તિમાં રજત “સત્’ વિદ્યમાન છે. અને For Private & Personal Use Only = = = = www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy