SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વિપર્યયને બદલે વિવેકાખ્યાતિ માનનાર પ્રભાકરની ચર્ચા ૧ ૧૭ - અર્થાત્ જે કાળે શુકિતમાં રજતનું ભાન થયું તે જ કાળે ત્યાંને ત્યાં રજતસંબંધી અર્થક્રિયા નથી, તેથી અમે જૈનો તેને વિપરીતખ્યાતિ કહીએ છીએ. એમ જો કહેશો તો તથ્ય = સાચા, વનથત = રજતના, વાઘેડપિ = જ્ઞાનમાં પણ તે સાચા રજતની અર્થક્રિયા હતી નથી એવું ક્વચિત્ બને છે. સાર એ છે કે રજત હોય અને તેમાં રજતનો જ બોધ થયો હોય ત્યારે પણ તે જ કાળે ત્યાં ને ત્યાં રજતસંબંધી અર્થક્રિયા થતી નથી. પરંતુ કાલા-તરે જ રજતની અર્થક્રિયા થતી દેખાય છે. તે જ કાળે અર્થક્રિયાનો અભાવ તો યથાર્થરજતજ્ઞાનમાં પણ ક્યાંક જોવા મળે છે. માટે ત્યાં પણ તમારે વિપરીત ખ્યાતિ માનવી પડશે જે વ્યાજબી નથી. હવે જો કાલાન્તરે રજતની અર્થક્રિયા નથી એ પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે જે વસ્તુ જે સ્વરૂપે હોય છે. તે વસ્તુને તે સ્વરૂપે યથાર્થ જોયા પછી, તેનું જ્ઞાન મેળવ્યા પછી પણ ઘણી વખત તે વસ્તુ નાશ પામી જાય તો કાલાન્તરે તેનાથી જે અર્થક્રિયા થવી જોઈએ તે થતી નથી કારણ કે જ્યાં વસ્તુ જ નાશ પામી ગઈ તો કાલાન્તરે પણ અર્થક્રિયા કેવી રીતે થાય? પરંતુ તેટલા માત્રથી (ભાવિમાં અર્થક્રિયા ન થવા માત્રથી) વર્તમાનકાળે થયેલા પદાર્થના જ્ઞાનને કંઈ “મિથ્યાજ્ઞાન” કહી શકતું નથી. જેમ કે - પ્રવુતર = અતિશય પ્રચંડ એવા, સમીર = પવનના, સમીર = કુંકાવાથી, માણ = જલદી જલ્દી, વ્યાપિ = વિનાશ પામતાં - વિખેરાતાં એવા, પથ = પાણીનાં ભરેલાં, વૃધુ = વાદળોના અથવા પરપોટાના, વોથેપ = જ્ઞાનમાં પણ તે અર્થક્રિયા વિદ્યમાન નથી જ, છતાં જ્યારે વાદળ અથવા પાણીના પરપોટાઓ હતા અને ત્યારે તેમાં તે જ વાદળ અથવા પરપોટાનું જ જ્ઞાન હતું એટલે ત૬ માં તદ્ બુધ્ધિ હોવાથી કાલાન્તરે અર્થક્રિયા ન હોવા છતાં પણ તેને કંઈ વિપરીતખ્યાતિ કહેવાતી નથી. તે કારણથી આ પ્રમાણે સર્વથા અર્થક્રિયા કે રજતસંબંધી વિશિષ્ટ અર્થક્રિયારૂપ બન્ને પેટા ભેદોવાળો “અર્થક્રિયાકારિત્વ પહેલો પક્ષ કલ્યાણકારી (હિતાવહી નથી. (૧૧પમાં પાના ઉપરના ચિત્ર પ્રમાણે ૧-૨-૩ પક્ષોની ચર્ચા સમાપ્ત થઈ.) ___ तत्पुरस्सरपक्षे तु, तथाविधवैपरीत्यं तस्य स्वेनैव, पूर्वज्ञानेन, उत्तरज्ञाने वाऽवसीयेत? न स्वेनैव, तेन स्वस्य वैपरीत्यावसाये प्रमातुः प्रवृत्त्यभावप्रसङ्गात् । अथ पूर्वज्ञानेन, किं स्वकालस्थेन, तत्कालस्थेन वा ? नाऽऽद्येन, तत्काले वैपरीत्याऽऽस्पदसंवेदनस्यासत्त्वात् । नापि द्वितीयेन, ज्ञानयोौगपद्यासम्भवात् । ___अथोत्तरज्ञानेन, तत्कि विजातीयम् सजातीयं वा स्यात् ? विजातीयमप्येकसन्तानं भिन्नसंतानं वा ? भेदद्वयेऽपि घटज्ञानं पटज्ञानस्य वैपरीत्यावसायि भवेत् ? सजातीयमप्येकविषयम् भिन्नविषयं वा ? एकविषयमप्येकसन्तानम्, भिन्नसन्तानं वा ? द्वयमपीदं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy