SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૨૧૯ ઉ. હા, પણ તેના સિવાય જીવનનિર્વાહ શક્ય નથી માટે તેને અભક્ષ્ય કહ્યું નથી. છતાં શ્રાવકેએ અને સાધુએ ઘીની જેમ પાણી વાપરવું જોઈએ. ૧૩. સર્વ પ્રકારની માટીઃ દેડકાં વગેરેની નિરૂપ માટી છે. કયારેક પેટમાં જતાં પેટમાં દેડકાદિની ઉત્પતિ થઈ જતાં મરણ વગેરે અપાયે થવાને સંભવ રહે છે. માટીના ત્યાગમાં ખડી, ચૂને પણ. માટીરૂપ હેઈને ત્યાજ્ય છે. કેમ કે તે પણ રાગાદિનું કારણ છે. વળી નીમકમાં પણ અસંખ્યાત પૃથ્વીકાય છે તેવાથી સચિત્ત નીમક ત્યાજ્ય છે. નીમકને અચિત બનાવવા માટે અગ્નિ આદિ અતિ બળવાન શસ્ત્રોને ઉપયોગ કરે પડે છે. ગમે તેટલું ખાંડવા. દળવાથી પણ મીઠું અચિત્ત થઈ જતું નથી. ભગવતી સૂત્રના ૧લ્મા શતકના ૩ જા. ઉદેશમાં કહ્યું છે કે, “વજની ઘંટોમાં અલપમાત્ર મીઠું મૂકીને તેને ૨૧ વાર વાટવામાં આવે તે પણ તેમાં કેટલાક એવા રહી જાય છે જેમને એ વજને સ્પર્શ સુદ્ધાં થયે હેતું નથી. કુંભારના નભાડામાં કે સુખડિયાની ભઠ્ઠીમાં મીઠા ભરેલા માટીના ભાજનને સીલ કરીને મૂકી રાખવામાં આવે તો તે અચિત્ત થાય છે અને બે-ચાર વર્ષ સુધી તેવા જ અચિત્ત સ્વરૂપમાં રહે છે. મીઠામાં મીઠા કરતાં બમણું પાણી નાંખીને ઉકાળીને એકરસ બનાવીને પછી ઠારીને, આજે મીઠાને અચિત બનાવવામાં આવે છે પણ આવું મીઠું બે-ચાર માસમાં જ ફરી સચિત્ત થવા સંભવ રહે છે. પાણી વિના જ ભઠ્ઠીમાં સાય એકરસ બનીને ઠરેલું મીઠું જેટલાં દીર્ઘકાળ સુધી અચિત રહે તેટલા કાળ સુધી પાણીપૂર્વક એકરસ કરેલું મીઠું અચિત્ત રહી શકતું નથી. તાવડી વગેરેમાં શેકીને મીઠાને અચિત્ત કરવામાં આવે છે, પણ તે મીઠું શેકાઈને ખૂબ લાલ બની જાય તો જ અચિત્ત સમજવું જોઈએ. ૧૪. રાત્રિભેજનઃ અનેક સૂમ બાદર જતુઓ સૂર્ય આથમતાં વાતાવરણમાં ફેલાય છે. તે જતુઓ રાત્રે ભજન કરનારના ભાણામાં પડે છે. ભેજન સાથે પેટમાં જતાં ઘોર હિંસા થાય છે અને સ્વને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy