SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ચૌદ ગુણસ્થાન પ્રશ્ન. – દર્શનસપ્તકને ક્ષય કરનાર આત્મા સમ્યક્ત્વી કે અસમ્યક્ત્રી કહેવાય? મિથ્યાત્વમહિના શુદ્ધ jજના ઉદયથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. હવે તે પૂજને તે ક્ષય થઈ ગયે એટલે સમ્યક્ત્વ પણ નષ્ટ થયું. એટલે તેને સમ્યકત્વી કેમ કહેવાય? વળી, મિથ્યાત્વમિશ્રમેહ, ભાવનાને પણ ઉદય નથી કેમ કે તેના બે ય પુંજને પણ ક્ષય થઈ ગયું છે માટે તેને અસમ્યકત્વી પણ કેમ કહેવાય? ઉત્તર, કેફ ન ઉત્પન્ન કરે એવા કરાએલા કેદરા જેવા કે જેની અંદરથી મિથ્યાત્વભાવ નષ્ટ થયો છે. એવા મિથ્યાત્વના પગલે કે જે પુદ્ગલે તરવાર્યશ્રદ્ધાનરૂપ જીવનસ્વભાવને આવરતા નહિ હેવાથી ઉપચારથી સમ્યગ્દર્શન કહેવાય છે તેને જ ક્ષય થાય છે. પરંતુ તત્ત્વાર્થની શ્રદ્ધારૂપ જે આત્મપરિણામ તે રૂપ જે સમ્યગ્દર્શન તેને ક્ષય થતું નથી. મનુષ્યની આંખ આડે આવેલ શુદ્ધ અબરખ સમાન. સમ્યક્ત્વમેહના પુદ્ગલેને ક્ષય થવાથી શુદ્ધ સ્વરૂપ પ્રકાશે છે. માટે જ દર્શન મેહને ક્ષય થવાથી આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય છે. હવે જેણે આવતા ભવનું આયુ. બાંધ્યું નથી તે અબદ્ધયુ આત્મા ક્ષયકશ્રેણિ માંડે છે તે દર્શનસપ્તકને ક્ષય કરીને પરિણામથી પતન પામ્યા વિના જ ચારિત્ર્યહનીય કર્મ ખપાવવા માટે યત્ન કરે છે. ચામહને ક્ષય કરવા માટે તે અપૂર્વાદિ ૩ કરણ કરે છે. જેમાં અપ્રમત્ત ગુણસ્થાનક યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ ગુણસ્થાન અપૂર્વ. કરણરૂપ અને અનિવૃત્તિગુણસ્થાન અનિવૃત્તિકરણરૂપ બને છે. અપૂર્વકરણ ગુણસ્થાને સ્થિતિઘાતાદિ વડે અપ્ર.પ્રત્યા. એ આઠેય. કષાયને એવી રીતે ક્ષય કરે કે અનિવૃત્તિકરણના પહેલે સમયે પ. ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ રહે. અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય ત્યારે સત્યાનધિંત્રિક આદિ ૧૬ પ્રકૃતિને ઉકેલના સંક્રમ વડે ખપાવતા ખપાવતા પ.ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ, થાય. ત્યાર પછી તેઓને સમયે સમયે ગુણસંક્રમ વડે બધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતા સંક્રમાવતા સંપૂર્ણપણે ક્ષય થાય. જે કે અપ્રપ્રત્યા. કયાષ્ટકને ક્ષય કરવાની શરૂઆત પહેલાં જ કરી હતી પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy