SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૧૦૩ ભક્તિ ઃ આવતાની સામે જવું, આસન આપવું વગેરે બાહ્યસેવા. પૂજા : વસ્ત્રાદિ આપવા રૂપ સત્કાર. પ્રશંસા : ગુણ પ્રશંસા-કીર્તિ વધારવી વગેરે. નિંદાપરિહાર: તેમના છતા–અછતા દેશની નિંદા ન કરવી. આશાતનાત્યાગ : દેવની ૮૪, ગુરુની ૩૩ આશાતનાને ત્યાગ. સમ્યક્ત્વના સદભાવમાં આ વિનય હોય છે માટે તેને સમ્યગ્દર્શનને વિનય કહેવાય છે. ત્રણ શુદ્ધિ : ૧. જિન ૨. જિનમત (સ્યાદ્વાદમય જીવાદિ ત) ૩. જિનમતરૂપ તત્વારાધક ચતુર્વિધ સંઘ. “આ ત્રણ સારભૂત બાકીનું આખું જગત દુરાગ્રહથી ફસાયેલું હેવાથી અસાર છે.” આવી શ્રદ્ધાથી સ ત્વની શુદ્ધિ થાય છે. માટે શુદ્ધિના કારણરૂપ આ ૩ પ્રકારની શુદ્ધિ જાણવી. પાંચ દૂષણ : ૧. શંકા ૨. કાંક્ષા ૩. વિચિકિત્સા ૪. અન્ય દર્શન વગેરેની પ્રશંસા પ. તેમને સહવાસ-એ પાંચ સભ્યત્વનાં દૂષણ છે. ૧• શકે દ્વિધા દેશકા–સર્વશંકા. દેશશંકા-ધર્મના એકાદ તત્ત્વાદિમાં શંકા થવી. જીવ છે તે સત્ય છે કે કેમ? છે તે ય સર્વવ્યાપક છે કે દેશવ્યાપક ? જીવને પ્રદેશ હોય કે નહિ? હાલે–ચાલે તે તે જીવ ખરા પણ ન હાલે ચાલે તે વનસ્પતિ આદિમાં જીવ હશે કે નહિ? ઈત્યાદિ દેશશંકા કહેવાય. સર્વશંકા આખા ધર્મતત્વની શંકા-જિને કહલે ધર્મ સત્ય છે કે અસત્ય ? ધર્મ જ હશે કે નહિ ? ૨. કાંક્ષા : અન્ય ધર્મની ઈચ્છા કરવી તે કાંક્ષા ૧. દેશકાંક્ષા : અન્ય કોઈ એક ધર્મને આરાધવાની ઈચ્છા. ' ૨. સર્વકાંક્ષા ઃ અન્ય બધા ધર્મોને સેવવાની ઈચછા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy