SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન અર્થ ગ્રન્થ (અર્થ જણાવતા ગ્રન્થની રૂચિ તે અર્થરૂચિ (અભિગમ રૂચિ) કહેવાય. આ કારણે જ ઠાણુંગસૂત્રની ટકામાં નિર્ચત આદિ અર્થજ્ઞાનની રૂચિને અર્થરૂચિરૂપ જણાવીને તેને સૂત્રરૂચિથી ભિન્ન કહેલ છે. ૭. વિસ્તારરૂચિ : પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણે-ન-નિક્ષેપાઓ પૂર્વકનું જે સર્વ-દ્રવ્ય-ગુણપર્યાનું જ્ઞાન-તેનાથી પ્રગટ થયેલી જે. અતિશુદ્ધ શ્રદ્ધા તે વિસ્તારરૂચિ સમ્યક્ત્વ કહેવાય. ૮, ક્રિયારૂચિ : પંચાચારને પાળવાની વિનયાદિ અનુષ્ઠાન કરવાની રૂચિ તે ક્રિયારૂચિ. પ. તે પછી આજ્ઞારૂચિ અને ક્રિયારૂચિમાં ફેર શું પડે ? કેમ કે બે ય ધર્માનુષ્ઠાનની રૂચિરૂપ જ છે ? ઉ. અજ્ઞારૂચિમાં રૂચિની મુખ્યતા અનુષ્ઠાન ઉપર નથી કિન્તુ, ગુવંજ્ઞા છે. જ્યારે અહીં અનુષ્ઠાન ઉપર જ રુચિની મુખ્યતા છે, ભલે કદાચ આજ્ઞા ન પણ હોય માટે બેયમાં સ્પષ્ટ ભેદ છે. આથી જ ક્રિયાને આત્મસાત કરી ચૂકેલા ચારિત્રી મુનિઓ કે જેઓ ગુર્વાજ્ઞાદિથી નિરપેક્ષ થયા છે. તેમને ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ ચારિત્ર્ય-કાય (જેમની કાયા ચારિત્ર = કિયામય બની ગઈ છે તેવા), કહ્યા છે. ૯ સંક્ષેપરૂચિ સમ્યક્ત્વ : જેને બૌદ્ધાદિ દર્શનમાં કદાગ્રહ, નથી, જૈન-ધર્મનું યથાર્થ જ્ઞાન પણ નથી અને છે માત્ર મોક્ષની રૂચિ... આ રૂચિ સંક્ષેપરૂચિ કહેવાય. મહાત્મા ચિલાતી ઉપશમ-સંવર વિવેકાત્મક પદત્રયને સાંભળવા માત્રથી-જૈનધર્મનું કશું જ જ્ઞાન ન હોવા છતાં જે મોક્ષરૂચિ થઈ–તે સંક્ષેપરુચિ કહેવાય. આ જ રીતે જ્ઞાનની વિશેષતા વિના પણ મોક્ષમાત્રની રૂચિ થાય તે તેને સંક્ષેપરૂચિ. સમ્યકૃત્વ કહેવાય. જે અહીં મોક્ષરુચિ પદ દૂર કરીને તેના બે વિશેષણ અન્ય દર્શનમાં અકદાગ્રહ અને જિનદર્શનનું અજ્ઞાન–એટલું જ સંક્ષેપરૂચિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy