________________
૪૪
શ્રી સ્નાત્ર પૂજા સાથે ઉપસર્ગઃ ક્ષય યાંતિ, છિદ્યત્તે વિદનવલ્લયર મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. ૪. સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ્ પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫.
શ્રી ચૈત્યવંદન વિધિ
(પ્રથમ ત્રણ ખમાસમણ દેવાં.) ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિાએ, નિશીહિઆએ મયૂએણ વંદામિ ૧. ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ મત્યએણ વંદામિ. ૨. ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ મયૂએણ વંદામિ. ૩.
શ્રી જિનેશ્વર ભગવંતનું પૂજન કરતાં સમસ્ત પ્રકારના ઉપદ્રવો નાશ પામે છે. વિઘ્નરૂપી વેલીઓ છેદાઈ જાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. ૪. | સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન સદા જયવંતુ વર્તે છે. ૫.
સકલકુશલવલ્લીનો અર્થ-સર્વ સુખ રૂપી વેલને પુષ્ટ કરવામાં પુષ્પરાવર્તના મેઘ સમાન, પાપરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન, ઇચ્છિતોને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન, સંસારસમુદ્રને તારવામાં વહાણ સમાન, સર્વસંપત્તિના કારણરૂપ એવા શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાન નિરંતર તમારા કલ્યાણ માટે થાઓ. ૧.
ચૈત્યવંદનનો અર્થ- ત્રણ ભુવનના સ્વામી એવા હે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ! તમે જયવંતા વર્તો. તમે અષ્ટ કર્મરૂપી શત્રુને જીતીને પાંચમી ગતિ-મોક્ષગતિ પ્રાપ્ત કરી છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org