SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ કુમપત્રક (૧૪) તેમાં પણ દેવ કે નરકગતિમાં ગયેલા જીવ તે માત્ર એક જ વાર સંલગ રીતે ભવ ગ્રહણ કરી શકે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ને કર નેધ : દેવ અને નરક બને ગતિને ઔપપાતિક કહે છે. કારણ કે ત્યાં જવા સ્વયં (વિના એનિએ) ઉત્પન્ન થાય છે. તેનાં શરીર પણ જુદા પ્રકારનાં હોય છે. તેથી માનવ કે પશુના શરીરની માફક આયુષ્ય પૂર્ણ થયા પહેલાં કેઈ શસ્ત્રોથી -નાશ પામતો નથી. દેવ કે નરક યોનિને જીવ એકવાર ત્યાં જઈ આવ્યો હોય તે ફરીને બીજી કોઈ ગતિમાં ગયા બાદ જ દેવ કે નરકગતિમાં જઈ શકે. આવી કર્માનુસાર ત્યાંની સ્થાન ઘટના શાસ્ત્રકારોએ કપેલી છે. (૧૫) શુભ (સારાં) અને અશુભ (ખરાબ) કર્મોને લઈને બહુ પ્રમાદવાળે જીવ આ પ્રમાણે (ઉપરના કમથી) આ ભવરૂપ સંસારચક્રમાં ભમ્યા કરે છે. માટે હે ગૌતમ ! સમય માત્રને પ્રમાદ ન કર. નેધ : અહીં સુધી અધોગતિમાંથી ઊર્ધ્વગતિ અને અવિકસિત જીવનમાંથી વિકસિત જીવન સુધીને સંપૂર્ણ ક્રમ બતાવી દીધું છે. આ ક્રમમાં સામાન્ય રીતે શાસ્ત્રોક્ત બધી ઉક્રમણ ભૂમિકાઓને સમાવેશ થઈ ગયો છે. (૧૬) મનુષ્યભવ પામીને પણ ઘણું જ ચાર અને પ્લેચ્છ ભૂમિમાં ઉત્પન્ન થાય છે તેથી આયભાવ (આર્યભૂમિનું વાતાવરણુ) પામવો તે પણ દુર્લભ છે. માટે સમય માત્રને પ્રમાદ ન કર. ધ: આર્યધર્મને અર્થ સાચે ધર્મ કે જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને ત્યાગ એ પાંચ અંગેનો સમાવેશ થાય છે. મનુષ્ય શરીર પામ્યા છતાં ઘણું જીવો મનુષ્ય શરીરે પશુ કે પિશાચ જેવા હોય છે. (૧૭) આ દેહને પામીને પણ અખંડ પંચેન્દ્રિપણું (બધી ઈદ્રિય અખંડ હોય તેવી સ્થિતિ) ખરેખર વિશેષ દુર્લભ છે. કારણ કે (ઘણે સ્થળે) ઈદ્રિયેની વિકળતા (અપૂર્ણ ઈદ્રિ) દેખાય છે. હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર. ધઃ ઈદ્રિય અને શરીર એ બધાં સાધને છે. જે સાધને સુંદર ન હોય પણ પુરુષાર્થમાં ફેર પડે છે. (૧૮) છત્ર સંપૂર્ણ પંચેન્દ્રિયપણું (સંપૂર્ણ સાધનો) પણ મેળવી શકે છે છતાં ખરેખર સાચા ધર્મનું શ્રવણ અતિ દુર્લભ છે. કારણ કે કુતીર્ણ (અધમી ને સેવનાર સમૂહ થશે દેખાય છે. માટે તેને તે ઉચ્ચ સાધને મળ્યાં છે તો) હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy