SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અદયયન : ચોથુ અ સ કૃત જીવિત ચંચલ છે. કર્મનાં ફળ ભેગવવાં જ પડે છે, તેનું નિરૂપણ આ અધ્યયનમાં ખૂબ સરસ રીતે થયું છે. ભગવાન બોલ્યા : (૧) જીવિત સંધાય તેવું નથી માટે પ્રમાદ ન કર. ખરેખર જરાવસ્થાથી ઘેરાયેલાને શરણ નથી એમ ચિંતવ. પ્રમાદી અને તેથી હિંસક બનેલા વિવેકશૂન્ય છ કેને શરણે જશે? નોંધ : ગૌતમને ઉદ્દેશીને આ કથન કહેવાયેલું છે. છતાં ગાયમ એટલે ઈદ્રિયોનું નિયમન કરનાર મન પણ તેનો અર્થ ક્યાં નથી થતો ? આપણે આત્માભિમુખ થઈ મન પ્રત્યે તે સંબંધન જરૂર વાપરી શકીએ. (બીજી બધી વસ્તુ તૂટયા પછી સંધાય છે પણ જીવિતદોરી તૂટયા પછી કદી સંધાતી નથી.) (૨) કુબુદ્ધિવશાત (અજ્ઞાનવશાત) પાપનાં કામ કરીને જે મનુષ્યો ધનને મેળવે છે, કર્મના પાશથી ઘેરાયેલા અને વૈરથી બંધાયેલા તે જ ધનને અહીં જ મૂકીને નરકગતિમાં ચાલ્યા જાય છે. (૩) ખાતર પાડતાં (ચોરી કરતાં) પકડાયેલે પાપકર્મ કરનાર ચાર જેમ પોતાના કમથી ક્યાય છે (પીડાય છે) તેમ જ અહીં અને પરલોકમાં પોતાના કર્મ વડે જ પીડા પામે છે. કારણ કે કરાયેલાં કર્મોની (ભોગવ્યા વિના મુક્તિ નથી. નેંધ : જે જેવાં કર્મ કરે છે તેને તે જ ભોગવે છે. કર્તા બીજ અને ભોક્તા બીજે હોઈ શકે જ નહિ એ ન્યાયે આ લેખમાં જે કર્મનાં પરિણામ ન મળ્યાં હોય તે પરલેકમાં મેળવવા જન્મ ધારણ કરવો જ પડે છે એમ પુનર્ભવની સિદ્ધિ સ્વયં થઈ જાય છે. (૪) સંસારને પામેલે જીવ પારકાને માટે (કે પિતાના જીવન વ્યવહારમાં જે કામ કરે છે તે કર્મના ઉદય (પરિણામ) કાળમાં તેને પિતાને જ ભોગવવું પડે છે.) તેના (ધનમાં ભાગ પડાવનાર) બાંધવો કમમાં ભાગ પડાવતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy