SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર ઉત્તરાધ્યયન સુત્ર (૧૫) પ્રવાહની અપેક્ષાએ એ બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે. (૧૫૧) ચાર દિયવાળાની આયુષ્ય સ્થિતિ ઓછામાં ઓછી અંતર્મહતું અને. વધુમાં વધુ છ માસની કહી છે. (૧૫૨) ચાર ઈદ્રિયવાળા જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતર્મુહૂત અને વધુમાં વધુ સંખ્યાત કાળ સુધીની કહી છે. (૧૫૩) ચાર દિયવાળા જી પિતાની કાયાને છોડીને ફરીથી તે કાયાને પામે. તે વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે. (૧૫૪) એ ચાર ઈદ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે. ભેદો થાય છે. (૧૫૫) પાંચ ઈદિયવાળા પુરુષો ચાર પ્રકારના કહ્યા છે: ૧. નારકી (નરકના વો, ૨. તિયચ, ૩. મનુષ્ય અને ૪. દેવ. (૧૫૬) રતનપ્રભા આદિ સાત પૃથ્વીમાં રહેવાથી નારકો સાત પ્રકારના કહેવાય છે : (તે પૃથ્વીના નામ આ પ્રમાણે છે :) ૧. રત્નપ્રભા, ૨. શર્કરા પ્રભા, ૩. વાળુપ્રભા. (૧૫૭) ૪. પંકપ્રભા ૫. ઘૂમપ્રભા. ૬. તમપ્રભા અને ૭. તમે તમસમભા. એ પ્રમાણે ત્યાં રહેનારા નરકના જીવો સાત પ્રકારના કહેવાય છે. (૧૫૮) તે બધા લેકના એક વિભાગમાં રહેલા છે. હવે તેઓના કાળવિભાગ ચાર પ્રકારે કહીશ : (૧૫૯) પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને અંતરહિત અને આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે. (૧૬૦) પહેલી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને વધુમાં વધુ એક સાગરોપમની છે. (૧૦૧) બીજી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે. (૧૬૨) ત્રીજી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. (૧૬૩) ચોથી નરમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય દસ સાગરેપમની અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy