SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ઉત્તરાઠ્યયન સૂત્ર (૬૮) જ્યારે રસ ભોગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિચયમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલે તે છવ કદી સંતોષ પામતો નથી. અને અસંતોષના દોષથી તે દુઃખી જીવાત્મા બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે. (૬૯) આ પ્રમાણે નહિ દીધેલું ગ્રહણું કરનાર, તૃષ્ણાથી પરાભવ પામેલ અને રસને મેળવવા તથા ભોગવવામાં અસંતુષ્ટ પ્રાણી, લંભના દોષથી કપટ અને અસત્યાદિ દોષોને વધારે છે. અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી. (૭૦) અસત્ય વચન બોલવા પહેલાં, ત્યારપછી કે મૃષા વાક્યને પ્રયોગ કરતી વખતે દુષ્ટ અંત:કરણવાળે તે દુઃખી જીવાત્મા એ પ્રકારે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતો અને રસમાં અતૃપ્ત રજુ રહેતા દુઃખી અને અસહાયી બને છે. (૭૧) એ પ્રકારે રસમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ કંયાથી મળે ! જે રસેને પ્રાપ્ત કરવામાં કષ્ટ વેઠેલું તે રસના ઉપયોગનાં પણ અત્યંત કલેશ અને દુઃખ પામે છે. (૭૨) એ પ્રમાણે અમનેઝ રસમાં ઠેષ પામેલે તે જીવ દુઃખના સમૂહની પરંપરા ઉત્પન્ન કરે છે. અને દ્વેષ ભરેલા ચિત્તથી કર્મોને જ એકઠાં કરે છે. તે કર્મ પરિણામે દુઃખકર નીવડે છે. (૭૩) પરંતુ જે મનુષ્ય રસમાં વિરકત રહી શકે છે કે તે શેથી રહિત હોય છે છે અને જેમ કમળપત્ર જળથી લેપાતું નથી તેમ તે જીવ આ સંસારની વચ્ચે રહેવા છતાં આ દુ:ખ સમૂહની પરંપરાથી લપાતો તથી. (૭૪) સ્પર્શ એ સ્પર્શેન્દ્રિય (કાય)ને ગ્રાહ્ય વિષય છે. મનેઝ સ્પર્શ' રાગના હેતુભૂત અને અમને સ્પર્શ દૂષના હેતુભૂત છે. જે તે બન્નેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે. (૭૫) કાયા એ સ્પર્શની ગ્રાહક છે. અને સ્પર્શ એ તેને ગ્રાહ્ય વિષય છે. મનન સ્પર્શ રાગના હેતુભૂત છે અને અમનેણ સ્પશ ષના હેતુભૂત છે, એમ મહાપુરુષો કહે છે. (૭૬) જે જીવ સ્પર્ષોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે છે જંગલમાં આવેલા ઠંડા જળમાં પડેલા અને ગ્રાહથી પકડાયેલા રાગાતુર પાડાની માફક અકાળ મૃત્યુ પામે છે. (૭૭) વળી જે અમનેઝ સ્પર્શમાં તીવ્ર ઠેષ રાખે છે તે તે જ ક્ષણે દુ:ખ પામે છે. આવી રીતે પોતાના જ દુર્દમ્ય દેષથી જીવ દુઃખી થાય છે. તેમાં સ્પર્શ જરા પણ અપરાધી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy