SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ રર૪ ઉત્તરાધ્યયન સુત્ર (૪૮) ગંધ એ ધ્રાણેન્દ્રિયને ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞ ગંધ રાગના હેતુભૂત છે. અને અમનોજ્ઞ ગંધ દૂષના હેતુભૂત છે. જે (જીવ) તે બન્નેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે. (૪૯) નાસિકા ગંધની ગ્રાહક છે અને ગંધ એ નાસિકાના ગ્રાહ્ય વિષય છે. તેથી મનોજ્ઞ ગંધ રાગના હેતુરૂપ છે અને અમને ગંધ એ દુખના હેતુરૂપ છે એમ મહાપુરુષો કહે છે. (૫૦) જે મનુષ્ય ગંધમાં તીવ્ર આસક્તિ રાખે છે તે (ચંદનાદિય ઔષધિની સુગંધમાં આસકા થઈ પિતાના રાફડામાંથી બહાર નીકળેલા સપની માફક અકાલિક મૃત્યુને પામે છે. (૫૧) વળી જે જીવ અમનોજ્ઞ ગંધ પર તીવ્ર 4ષ રાખે છે તે જીવ તે જ ક્ષણે દુઃખ પામે છે. આવી રીતે જીવ પોતાના જ દુર્દમ્ય દોષથી દુઃખી થાય છે. તેમાં ગંધને જરાપણુ દેષ નથી. (પર) જે કેઈ સુગંધ પર અતિશય રાગ કરે છે; એકાંત રક્ત રહેલા તેને અમનેશ ગંધ પર દુષ ઊપજે છે. અને આખરે તે તે અજ્ઞાની દુ:ખથી ખૂબ પીડાયા છે. પણ આવા દુષથી વીતરાગી મુનિ લેખાતો નથી. (૫૩) અત્યંત સ્વાર્થમાં ડૂબેલો બાલ અને મલિન જીવ સુગંધમાં લુબ્ધ બનીને અનેક પ્રકારનાં ચરાચર જીવોની હિંસા કરે છે અને ભિન્ન ભિન્ન પ્રકારે તેઓને પરિતાપ અને પીડા ઉપજાવે છે. (૫૪) છતાં ગંધની આસક્તિથી અને મૂર્છાથી મને ગંધને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાંથી મળે? તેને ઉપયોગ કરતી વખતે પણ અતૃપ્તિ જ હેય છે. (૫૫) જ્યારે ગંધને ભેગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલે તે જીવ કદીએ સંતોષ પામતો નથી, અને અસંતોષના દોષથી લેભાકૃષ્ટ તેમ જ દુઃખી તે જીવાત્મા બીજાના સુગંધવાળા પદાર્થોને પણ ચેરી લે છે. (૫૬) એ પ્રમાણે અદત્તનું ગ્રહણ કરનાર, તૃગણાથી પરાભવ પામેલ અને સુગંધ ભોગવવા તથા મેળવવામાં અસંતુષ્ટ પ્રાણું લેભના દેવલી પટ તથા અસત્યાદિ દોષને વધારી મૂકે છે. અને તેથી તે છવ દુઃખથી સુકાતો નથી. (૫૭) અસત્ય બોલવા પહેલાં કે ત્યાર પછી, કે (મૃષા વાક્યને) પ્રયોગ કરતી વખતે પણ તે અતિશય દુ:ખી હોય છે. અને તે દુ:ખી જીવાત્મા એપ્રકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy