SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચારી ૧૭૯૨ (૧૮) રાત્રિના પહેલે પ્રહરે સ્વાધ્યાય, ખીજે પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે નિદ્રા અને ચેથા પ્રહરે પા। સ્વાધ્યાય કરવા. (૧૯) (રાત્રિની પારસીનું માપ શી રીતે કાઢવુ તે કહે છે :) જે કાળને વિષે જે જે નક્ષત્રો આખી રાત્રિ પૂર્ણ કરતાં હોય તે નક્ષત્ર આકાશના ચેાથે ભાગે પહેાંચે ત્યારે રાત્રિના પહેલા પ્રહર પૂરા થયેા જાણી સ્વાધ્યાય વિરમવું. (૨૦) અને તે જ નક્ષત્ર, આકાશના ચેાથેા ભાગ બાકી રહે તેટલે સુધી આવે અર્થાત્ કે ચાથી પારસીમાં આવે ત્યારે સ્વાધ્યાય શરૂ કરવા. અને તે પારસીના ચેાથે ભાગે (બે ઘડી રાત્રિ બાકી રહે ત્યારે) કાળ જોઈ મુનિએ પ્રતિક્રમણ કરવુ. (૨૧) (હવે દિવસનું વિસ્તારપૂર્વક કબ્ય કહે છે :) પહેલા પ્રહરને ચેાથે ભાગે (સૂર્યોદયથી એ ઘડી સુધી) વસ્ત્રપાત્રનું પ્રતિલેખન કરવુ અને પછી ગુરુને વંદન કરીને સ`દુઃખથી મુકાવનાર એવા સ્વાધ્યાય કરવે. (૨૨) પછી દિવસના છેલ્લા પ્રહરના ચેાથે ભાગે ગુરુને વંદન કરીને સ્વાધ્યાય કાળના અતિક્રમ (ઉલ્લંધન) કર્યા સિવાય વજ્રપાત્રાદિનું પ્રતિલેખન કરવું. (૨૩) પહેલાં મુખપત્રિકાનું પ્રતિલેખન કરી પછી ગુચ્છકનું પ્રતિલેખન કરે. પછી ગુચ્છાને હાથમાં લઈને મુનિ વસ્ત્રોનું પ્રતિલેખન કરે. (૨૪) (વસ્ત્ર પ્રતિલેખનની વિધિ કહે છે :) (૧) વસ્ત્ર જમીનથી ઊંચું રાખવું. (૨) મજબૂત પકડવું (૩) ઉતાવળુ પ્રતિલેખન ન કરવું, (૪) આદિથી માંડીને અ'ત સુધી બરાબર વસ્ત્રને જોવું. (આ માત્ર દૃષ્ટિની પ્રતિલેખના થઈ.) (૫) વસ્ત્રને થાડું ખંખેરવું, (૬) ખંખેરતાં જીવ ન ઊતરે તા ગુચ્છાથી તેને પૂજવુ’. (૨૫) (૭) પ્રતિલેખન કરતી વખતે વસ્ત્ર કે શરીરને નચાવવું નહિ અને (૮) વાળવુ` પણ નહિ. (૯)થેાડા ભાગ પણ પ્રતિલેખન કર્યા વગરને ન રાખવે. (૧૦) વઅને ઊંચુ’, નીચું કે ભીંત પર અફળાવવું નહિ. (૧૧) ઝાટકવું નહિ. (૧૨) વસ્ત્રાદિકને વિષે જીવ દેખાય તે તે જીવ હથેળી પર ઉતારી તેનું રક્ષણ કરવું. નોંધ : કેટલાક નવ લોડાને અથ પડિલેહણુ કરતાં નવ વાર જોવું એવા પણ કરે છે, (૨૬) (હવે છ પ્રકારની અપ્રશસ્ત પ્રતિલેખના કહે છે :) (૧) આરભટા (પ્રતિલેખના વિપરીત રીતે કરવી), (૨) સ`માઁ (વસ્ત્રને ચાળવુ` કે મવુ), મૌશલી (ઊ'ચી, નીચી કે આડી ધરતીએ વસ્ત્રને લગાડવું), (૪) પ્રસ્ફોટના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy