SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ યરીય (૨૮) જે રસલુપી ન હય, માત્ર ધર્મ નિમિરો જ ભિક્ષાવી હોય અને ગૃહસ્થોમાં આસક્ત ન હોય તેવા અકિંચન ત્યાગીને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૯) જે પૂર્વસંયોગ (માતા, પિતા, ભાઈ વગેરેના સંગ જ્ઞાતિજનોના સંગ અને સંવર્ગને છેડીને પછીથી તેના રાગમાં કે ભોગોમાં જે આસક્ત થતો નથી તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૩૦) હે વિજયેષ! જે વેદ પશુધને નિરૂપનારા છે તે અને પાપ કર્મો કરી હમાયેલી આહુતિઓ તે યજ્ઞ કરનાર દુરાચારીને જ શરણભૂત થતાં નથી. કારણ કે કર્મો ફળ આપવામાં બળવાન હોય છે. (૩૧) હે વિષ ! મસ્તક મુંડન કરવાથી સાધુ થવાતું નથી. કારના ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાનું નથી, તેમ અરણ્યવાસથી મુનિ કે ભગવાં વસ્ત્ર પહેર વાથી તાપસ થવાતું નથી. (૩૨) સમભાવથી સાધુ થવાય છે. બ્રહ્મચર્ય પાલનથી બ્રાહ્મણ થવાય છે અને જ્ઞાન હોય તે મુનિ તથા તપસ્વી હોય તે જ તાપસ કહેવાય છે.. (૩૩) વાસ્તવિક રીતે વર્ણવ્યવસ્થા જન્મગત નથી, પણ કમગત છે. કર્મથી જ બ્રાહ્મણ થવાય છે. કર્મથી જ ક્ષત્રિય થવાય છે, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ થવાય છે. (૩૪) આ વસ્તુઓને ભગવાને ખુલ્લી રીતે કહી બતાવી છે. સ્નાતક (ઉચ્ચ બ્રાહ્મણ). પણ તેવા જ ગુણોથી થઈ શકાય છે. માટે જ બધાં કર્મોથી મુક્ત હોય, અથવા મુક્ત થવાનો પ્રયત્ન કરે તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૩૫) ઉ૫રના ગુણોથી યુક્ત જે ઉત્તમ બ્રાહ્મણો હોય છે તેઓ જ પિતાના અને પરના આત્માને ઉદ્ધાર કરવાને માટે સમર્થ છે. (૩૬) આ પ્રકારે સંશયનું સમાધાન થયા પછી તે વિજયઘોષ બ્રાહ્મણ તે પવિત્ર વચનોને હૃદયમાં ઉતારીને પછી જયાષ મુનિને સંબોધીને – (૩૭) સંતુષ્ટ થયેલે તે વિજયાષ હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યો : હે. ભગવાન ! આપે યથાર્થ બ્રાહ્મણપણું મને સમજાવ્યું. (૩૮) ખરેખર આપ જ યજ્ઞના યાજક (કરનાર) છે. આપ જ વેદના જાણકાર છે. આપ જ જ્યોતિષશાસ્ત્રાદિ અંગેના જાણકાર વિદ્વાન છે અને આપ જ ધર્મોના પારગામી છે. (૩૯). આપ આપના અને પરના આત્માનો ઉદ્ધાર કરવાને સમર્થ છે. માટે હે ભિક્ષુત્તમ, ! ભિક્ષા ગ્રહણ કરવાની અમારા પર કૃપા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy