SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ સમુદ્રપાલીય (૨૪) પુણ્ય અને પાપ એમ બન્ને પ્રકારનાં કર્મોને ખપાવીને શરીર અધ્યાસથી સર્વ પ્રકારે છૂટી ગયા. (શૈલેશી અવસ્થા પામ્યા). અને આ સંસારસમુદ્રની પાસે જઈને સમુદ્રપાલ અપુનરાગતિ (અપુનરાગમન) અર્થાત સિદ્ધગતિને પામ્યા. નેધ : શૈલેશી અવસ્થા એટલે અડોલ અવસ્થા. જૈનદર્શનમાં આવી સ્થિતિ નિષ્કર્મા યોગીશ્વરની થાય છે. અને આવી ઉચ્ચ દશા પામ્યા પછી તરત જ તે આત્મસિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. સરળ ભાવ, તિતિક્ષા, નિરભિમાનિતા, અનાસક્તિ, નિંદા કે પ્રશંસા બન્ને સ્થિતિમાં સમાનતા, પ્રાણું માત્ર પર સમભાવ, એકાંતવૃત્તિ અને સતત અપ્રમત્તતા,-. આ આઠ ગુણો એ ત્યાગધર્મની ઈમારતના પાયા છે. તે પાયા જેટલા પરિપકવ અને પુષ્ટ તેટલું જ ત્યાગી જીવન ઉચ્ચ અને સુવાસિત. એ સુવાસમાં અનંતભવની વાસનામય દુગધ નષ્ટ ભ્રષ્ટ થઈ જીવાત્મા ઊંચી ને ઊંચી ભૂમિકામાં જઈ આખરે અંતિમ લક્ષ્યને પામી જાય છે. એમ કહું છું. એ પ્રમાણે સમુદ્રપાલીય નામનું એકવીસમું અધ્યયન સમાપ્ત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy