SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શિક પ્રવચને ૩ જેથી આ પડશક ગ્રંથનું વિધિપૂર્વકનું શ્રવણ અત્યંત લાભદાયી અને આત્મહિતકારી છે. સંવિ બહુત ધર્મગુરુ પાસે ધર્મતત્તવનું શ્રવણ વિનય ભકિતપૂર્વક કરવાથી આત્મામાં સાચા જ્ઞાનને પ્રકાશ પથરાય છે. તત્ત્વશ્રવણથી જ સાચા શ્રમણ અને સાચા શ્રાવક બનાય છે. શ્રતધર્મ એ ચારિત્રધર્મને જન્મ આપનાર જનેતા છે. માટે ચારિત્રધર્મના ઈષ્ણુએ મૃતધર્મમાં મન, વચન, કાયાથી યત્ન કરી જોઈએ. મૃતથી આત્મા સંસ્કારી, સદાચારી, શ્રદ્ધાળુ બને છે. ધર્મતત્વને સાચે જ્ઞાતા બને છે. માટે આ ગ્રંથના એકેક અક્ષરનું ખૂબ વિનય અને બહુમાનપૂર્વક શ્રવણ કરજે. ગ્રંથનું શ્રવણ હિતકારી ત્યારે જ બનશે કે જ્યારે આ ગ્ર થના કર્તા અને ગ્રંથનું વ્યાખ્યાન કરનાર પૂજ્ય પુરુષ પ્રત્યે ખૂબ જ આદરભાવ હશે તો. વ્યાખ્યાન ચાલુ થાય એટલે મગજમાંથી બધા જ સાંસારિક વિચારેને કાઢી નાંખી આ ગ્રંથશ્રવણમાં જ એકચિત બની જજે, આ ગ્રંથશ્રવણથી કર્મની ગાંઠ ઓગળી જશે. ધર્મના શ્રવણથી વિષયેના આકર્ષણો છૂટે છે, કથાને ઉકરાટ શાન્ત પડે છે. સાચા દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વની ઓળખ થાય છે, સંસારની નિષ્ણુ હતા અને મેક્ષની અનંત ગુણમયતાનું ભાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy