SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સુખદુઃખની તમતમતાનું કારજ શું? માટે કાર્ય દેખાય છે તે તેનું કોઈ અદશ્ય કારણ એવું જોઈએ. ઝાડ ઉભું છે, લીલુંછમ છે, ઘટાદાર છે તે અનુમાન થાય છે કે ભૂમિમાં ઉડું તેનું મૂળ હેવું જોઈએ. નહિતર આ ઝાડ લીલુંછમ ક્યાંથી હોય? આગમતત્ત્વ જેમ દઈથી વિરુદ્ધ ન જોઈએ તેમ ઈષ્ટથી પણ વિરુદ્ધ ન જોઈએ. ઈટથી અવિરુદ્ધ એટલે શાએ કહેલી વાતામાં પરસ્પર વિરોધાભાસ ન આવવો જોઈએ. એક વાકયતા જળવાઈ રહેવી જોઈએ. દા. ત., એક બાજુ શાસ્ત્ર બ્રહ્મચર્યનું વિધાન કરે અને બીવન બાજુ “ગૃહસ્થાશ્રમ ધર્મો ન ભૂતે ન ભવિષ્યતિ” એમ કહે અથવા પુત્ર રતનસ્તિતા એમ કહે તે આ શાસ્ત્ર-આગમતત્વ પરસ્પર વિરોધી બની ગયું જે વાતનું એક બાજુ સમર્થન કરે અને બીજી બાજુ તેનું જ ખંડન થઈ જાય એવી વાત કરું તે સાચું આગમતવ ન કહેવાય. બીજુ આગમતત્ત્વ ઉત્સર્ગ–અપવાદથી યુક્ત જોઈએ. ઉત્સર્ગ એટલે સામાન્ય જનરલ નિયમ, અપવાદ એટલે વિશેષ કારણે વ્રતરક્ષા માટે છૂટ. દા. ત., સાધુ-સાધ્વીએ દોષિત ગેચરી લેવી નહિ, આ ઉત્સર્ગ. પણ બીમારી વગેરેના કારણે દોષિત ગોચરી લે તે અપવાદ. ગોચરી ગયેલા સાધુએ ગૃહસ્થને ત્યાં બેસવું નહિ, આ ઉત્સર્ગ. પણ તપથી ફીણ થયેલું શરીર હોય અથવા એચિંતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy