SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૯ સમ્યકત્વમાં ન સેવવા જેવા પાંચ દોષો (૧) શંકા - તીર્થંકર પરમાત્માનાં વચનોમાં કોઈપણ જાતનો સંદેહ કરવો તે શંકા નામનો દોષ. ભણવા માટે, વધારે સૂક્ષ્મ તત્ત્વ જાણવા માટે વિનયપૂર્વક ગુરુજીને પૂછવાની છૂટ. પરંતુ આમ તે કંઈ હોતું હશે ? આ બરાબર નથી. એવા અશ્રદ્ધાના ભાવે શંકા કરવી તે દોષ. (૨) આકાંક્ષા :- તીર્થંકર પરમાત્માના શાસન વિના બીજે સ્થળે મેલી વિદ્યા આદિના કારણે અથવા મંત્ર-તંત્રથી કોઈ ચમત્કારો દેખાય, અથવા ઉપર છલ્લુ કંઈપણ સારું દેખાય, તેથી તેમાં અંજાઈ જવું. તે મતની (ધર્મની) ઇચ્છા કરવી તે આકાંક્ષા દોષ. (૩) વિચિકિત્સા : જૈન ધર્મનાં અનુષ્ઠાનો આચરવામાં ફળ મળશે કે નહિ મળે ? એવો મનમાં સંદેહ કરવો તે તથા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબનાં વસ્ત્ર-પાત્ર વગેરે મેલાં હોય, થુંક વિગેરેમાં જીવોત્પત્તિ ન થાય એટલા માટે કુંડી વિગેરે રાખતા હોય તે દેખીને તેમના ઉપર ધૃણા (તિરસ્કાર) કરવો ત વિચિકિત્સા દોષ. (૪) મિથ્યાદૃષ્ટિની ગુણસ્તુતિ : મિથ્યાદૃષ્ટિ આત્માઓમાં ૧ દાન, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. લોકસેવા, ૫. ત્યાગ-તપ ઈત્યાદિ ગુણો દેખાય તો પણ સભા સમક્ષ કે એવા પ્રકારના જાહેર સ્થાનોમાં તે ગુણોની પ્રશંસા કરવી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy