SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ : મુક્ત વિષે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે; તેમ નહીં તે જ્ઞાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. (૧૯૪૫) ૯. મહાત્માને દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છેઃ પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે; જેના કલ્યાણને અર્થે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે. (૨૫). ૧૦. આટલી વાતને નિશ્ચય રાખવો એગ્ય છે કે, જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતાં નથી. અને અભોગવ્યું નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે. અને બીજા [ સંસારીઓ ની પ્રવૃત્તિમાં ભવિષ્ય સંસારને હેતુ છે. માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધને એવો નિરધાર નથી કે તે નિવૃત્તિરૂપે જ ઉદયમાં આવે. જેમ શ્રીકૃષ્ણાદિક, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી. પ્રારબ્ધથી નિવૃત્ત થવું તે માત્ર ભગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધસ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિષે તેના સ્વરૂપમાટે જીવોને અંદેશાને હેતુ થાય; અને તે માટે જ્ઞાની પુરુષો ઘણું કરી જડમૌન-દશા રાખી, પિતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. (૧૯૪૯) ૧૧. તીર્થકરે તો એટલા સુધી કહ્યું છે કે, જ્ઞાની પુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાની પુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી. તો પણ પુરુષાર્થ મુખ્ય રાખ; કે જે બીજા જીવન પણ આત્મસાધના પરિણામનો હેતુ થાય. જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હેય નહીં; પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હાય. એમ છતાં પણ તેથી નિવૃત્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. (વૃદ્ધિપત્ર ૧) ૧૨. પ્રારબ્ધ છે એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા હતાં, ત્યાગવા જતાં બાહ્ય ૨૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy