SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રનાં વિચારને (૬) પૂર્વક્રીડા. પોતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શંગારથી વિષયક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહિ. તેમ કરવાથી બ્રહ્મચર્યનો ભંગ થાય છે. (૭) પ્રણીત. દૂધ, દહીં, ઘતાદિ મધુરા અને ચીકાશવાળા પદાર્થોને બહુધા આહાર ન કરવો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે. અને તેથી કામની ઉત્પત્તિ થાય છે. માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહિ. (૮) અતિમાત્રાહાર. પેટ ભરીને આહાર કરવો નહિ. તેમ અતિમાત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહિ. એથી પણ વિકારો વધે છે. (૯) વિભૂષણ. સ્નાનવિલેપન ,પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહિ. એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. (૧૭) ૯. સ્ત્રી એ હાડમાંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી; તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે, હજારો દેવાંગનાથી ન ચળી શકે તેવા સ્મૃનિએ પણ નાકાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં. કારણ કે, તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જામ્યું છે. ( ૧૯૫૨. ) ૧૦. પરમાર્થ હેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી. પણ બ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી. ને તેને માટે કહ્યું છે કે, અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. દેહની મૂછ હોય તેને કલ્યાણ કેમ ભાસે ? (૧૯૫૨. ) ૨૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy