SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ : અહિંસા ૫. પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પિતાનું દુ:ખ સમજવું. (૧૯૪૬) ૬. પ્રથમ સ્થાનમાં મહાવીરદેવે સર્વ આત્માથી સંગમરૂપ નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. સર્વ જીવને પિતાના આત્મા સમાન લેખે . . સર્વ જી જીવિતને ઈચ્છે છે, મરણને ઈચ્છતા નથી. . . • એ કારણથી જગતમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે, તેને જાણતાં અજાણતાં હણવાં નહિ. પિતાને માટે [કે] પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહિ. પ્રાણુને તે અવિશ્વાસ ઉપજાવે છે તે માટે તેનો ત્યાગ કરવો. મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રને નાશ કરનાર તે આ જગતમાં [મુનિ] આચરે નહિ. જે વસ્ત્ર પાત્ર છે, તે પણ સંયમની રક્ષા માટે થઈને ધારણ કરે. સંયમની રક્ષા અર્થે રાખવાં પડે તેને પરિગ્રહ ન કહે, પણ મૂછને પરિગ્રહ કહેવો એમ પૂર્વમહષિઓ કહે છે. તત્ત્વજ્ઞાનને પામેલા મનુષ્ય છકાય (જીવ) ના રક્ષણને માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી પોતાના દેહમાં મમત્વ આચરે નહિ. નિરંતર તપશ્ચર્યા, સંયમને અવિરેાધક ઉપજીવનરૂપ એક વખતનો આહાર લે. હિંસાદિક દે દેખીને જ્ઞાતપુત્ર ભગવાને એમ ઉપદેર્યું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ ભોગવે નહિ. પ્રથમ જ્ઞાન અને પછી દયા. અજ્ઞાની શું કરે, કે જે તે કલ્યાણ કે પાપ જાણતો નથી ? શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ. જાણ્યા પછી જે શ્રેય હોય તે સમાચરવું જોઈએ. (૧૬ પહેલાં) ૭. “ઇનોક્યુલેશન” મરકીની રસી રસીના નામે દાક્તરોએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં અધાદિને રસીના બહાને રિબાવી ૨૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy