SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રનાં વિચારને થવું એગ્ય છે. સમપરિણામે પરિણમવું યોગ્ય છે. આ જ્યાં સુધી નહીં પરિણમે, ત્યાં સુધી યથાર્થ બોધ પરિણમે નહીં. (૧૯૪૮) સજજનસ્તાવ ૩૯. આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દેડી, તૃષા છિપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જવરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે. એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણુ છે. પુરુષની વાણી વિના કેઈ એ તાપ અને તૃષ્ણા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરીફરી તે પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. સંસાર કેવળ આશાતામય છે. કેઈપણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી. અને એ પુણ્ય પણું સપુરુષના ઉપદેશ વિના કેઈએ જાણ્યું નથી. ઘણે કાળે ઉપદેશેલું તે પુય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે. પણ એનું મૂળ એક પુરુષ જ છે. માટે અમે એમ જ જાણીએ છીએ કે, એક અંશ શાતાથી કરીને પૂર્ણકામના સુધીની સર્વ સમાધિ તેનું પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગૌરવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂ૫ સપુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ. ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં પણ એવી કાઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, એવા પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે. તેવા અસંગપણથી ત્રિકાળ જે ૨૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy